ગુજરાત ભાજપે મજબૂતાઈથી સરકાર બનાવી દીધી છે અને કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. કોંગ્રેસનો આ વખતે એક દમ ખરાબ પ્રર્દશન રહ્યું છે. હારબાદ કોંગ્રેસે મંથન શરૂ કર્યું છે. અમદાવાદ ખાતે GPCCની બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસની હારની સમીક્ષા બેઠક મળી હતી.
હાર બાદ કોંગ્રેસનું મંથન
કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં હારની સમીક્ષા બેઠક મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું મંથન કર્યું છે. જે બેઠકમાં બાદ ઈમરાન ખેડાવાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં ભલે હાર થઈ પરંતુ લોકોને કોંગ્રેસમાં આજે પણ વિશ્વાસ છે તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અનેક સ્થળે ભાજપે સરકારી મશિનરીનો દૂરૂપયોગ કર્યો છે. હાર માટે પ્રદેશના નેતૃત્વની જવાબદારી પર પણ ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાર માટે પ્રદેશનું માળખુ નહીં પણ ઉમેદવાર જવાબદાર હોય છે. તેમણે કહ્યું હતુ કે, પ્રદેશ હાઈકમાન્ડ માર્ગદર્શન આપે પરંતુ ફિલ્ડમાં લડવાનુ કામ ઉમેદવાર છે.
જગદીશ ઠાકોરનું નિવેદન
ગુજરાતમાં હાર બાદ કોંગ્રેસનું પ્રથમ દિવસનું મંથન પૂર્ણ થયું હતું. જે બેઠકને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, આગામી 4 દિવસ મંથન કરીશુ તેમણે કહ્યું કે, હારની સંપૂર્ણ જવાબદારી મારી છે તેમણે જણાવ્યું કે, ભાજપની જીત બાદ પણ લોકોમાં ઉત્સાહ દેખાતો નથી તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કે નેતાઓમાં નિરાશા નથી.