રાજસ્થાનના ઉદયપુરમાં તાજ અરાવલી રિસોર્ટમાં આયોજીત થઈ રહેલા કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં બેઠકનો ધમધમાટ ચાલું છે.
રાજસ્થાનમાં કોંગ્રેસનું મહામંથન ચાલુ
દેશભરમાંથી કોંગ્રેસી નેતાઓ ઉદયપુરમાં જમા થયાં
ચૂંટણી જીતવા માટે બનાવી રહ્યા છે રણનીતિ
રાજસ્થાનના ઉદયપુરમાં તાજ અરાવલી રિસોર્ટમાં આયોજીત થઈ રહેલા કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં બેઠકનો ધમધમાટ ચાલું છે. શિબિરમાં બનાવામાં આવેલી છ કમિટિઓમાં સતત ચિંતન અને મંથનનો દોર ચાલું છે. આ તમામની વચ્ચે યુવાન, શિક્ષણ અને રોજગાર માટે બનાવામાં આવેલી કમિટિના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
આ કમિટિના સભ્યો રાજા વારિંગ, અલ્કા લાંબા, જેપી મથેર, કરિશ્મા ઠાકુર અને રાગિની નાયકે પોતાની કમિટી સાથે જોડાયેલી વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારત યુવાનોનો દેશ છે. યુવાનોની વાત કર્યા વિના દેશની વાત કરવી અસંભવ છે. એટલા માટે હવે પાર્ટીમાં યુવાનોને જોડવા માટે બ્લોકથી લઈને cwc સુધી યુવાનોને જોડવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં 50 જિલ્લાની 50 રણનીતિના આધાર પર કામ કરશે.
ભારતીય જનતા પાર્ટી પણ ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી જીતવા માટે યુવાનોને સપના દેખાડવામા આવે છે. પણ ચૂંટણી જીત્યા બાદ યુવાનો સાથે છેતરપીંડી કરવામા આવે છે. છેલ્લા 8 વર્ષમાં 16 કરોડ યુવાનોને રોજગાર મળવા જોઈતા હતા, પણ આવું થયુ નથીય એટલા માટે અમારી કમિટી બવે દેશના યુવાનોને જોડીને તેમના મુદ્દા પર મંથન કરશે.
કોંગ્રેસ સરકારે દેશના રાઈટ ટૂ એજ્યુકેશન,રાઈટ ટૂ ફુડ અને રાઈટ ટૂ ઈંફોર્મેશન આપ્યું. ત્યારે આવા સમયે યુવાનોને રાઈટ ટૂ જોબનો અધિકાર આપવા માટે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં અભિયાન ચલાવશે અને કેન્દ્ર સરકાર પર પ્રેશર લાવશે.