નવી દિલ્હીઃ 11 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઇ. રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જંગ જીતી લીધા સમાન છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનવાનું નક્કી છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર દેખાઇ રહી છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા 15 વર્ષોથી પોતાનું વર્ચસ્વ બનાવ્યું હતું પરંતુ આ વખતે બન્ને રાજ્યોમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
હાલમાં જ ચૂંટણી પંચનું પણ નિવેદન આવી ચૂક્યું છે કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી છે. બન્ને રાજ્યોમાં કોંગ્રેસની વાપસીને લઇને દેશભરમાં તમામ ક્ષેત્રોમાં પાર્ટીના કાર્યકર્તા જશ્ન મનાવી રહ્યા છે જ્યારે ભાજપ નેતાઓના ચેહરા ઉતરી ગયા છે ચેહરા પર ઉદાસી નજરે પડી રહી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે બન્ને દાવેદારો અશોક ગેહલોત અને સચિન પાટલટે મંગળવારે જીતનો વિશ્વાસ જતાવ્યો હતો.
કોંગ્રેસ જ્યારે જશ્ન મનાવી રહી છે તો ભાજપના કેટલાક નેતાઓ જાહેર સ્થળો પર શાંતચિત્ત નજરે પડ્યા.
સંસદના શિયાળુ સત્રની પણ મંગળવારે શરૂઆત થઇ છે. પોતાના સંબોધનમાં જાહેર હિતથી સંબોધિત મુદ્દાઓ પર મોટા પ્રમાણમાં ચર્ચાનું આહ્વાન કરતા પીએમ મોદીએ મંગળવારે આશા દર્શાવી કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાજકીય દળોની ચિંતાઓથી વધુ રાષ્ટ્રીય હિતને મહત્વ અપાવ્યું. મોદીએ કહ્યું કે સંસદનું શિયાળુસત્ર મહત્વનું છે. મહત્વપૂર્ણ બિલ અટવાયેલા છે જે ભારતના લોકોના હિતમાં છે. મને આશા છે કે કાર્યવાહી સુચારૂ રૂપથી થશે અને સભ્યો વચ્ચે ખુલીને ચર્ચા થશે.
સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા આવેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ થોડા મૌન નજરે આવ્યા હતા.