રાજકોટમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં ઉમેદવાર નરસી પટોડીયાનું અપહરણ કરીને ભાજપે ખેસ પહેરાવ્યો હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસે આ ગંભીર આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસનાં આગેવાનોનો વિવાદ વકરતા પોલીસ કમિશ્નર કચેરીએ તેઓ પહોંચ્યાં હતાં અને તપાસની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જાતીવાદને લઈને રાજકારણ ગરમાયું છે. સાણંદમાં કોંગ્રેસથી નારાજ કાર્યકરોએ એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ જિલ્લા તથા તાલુકાનાં કાર્યકર્તા તેમજ આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.
40 જેટલાં કાર્યકરોએ આગેવાનો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજીને પ્રદેશ કારોબારી તેમજ નેશનલ ડેલીગેટમાં સમાવેશ ના થતા નારાજગી નોંધાવી હતી. જિલ્લાનાં ક્ષત્રિય ઠાકોર કોળી તેમજ એસ.સી એસ.ટી અને ઓબીસીને પ્રાધાન્ય ન આપતાં હોવાંને કારણે કાર્યકરો સહિત આગેવાનોએ નારાજગી વ્યકત કરી હતી અને આગામી દિવસોમાં પણ મહાસંમેલન યોજવા અંગે પણ નિર્ણય લેવાયો હતો.
મહત્વનું છે કે કોંગ્રેસમાં આમ પણ છેલ્લાં કેટલાંય દિવસોથી સતત આંતરિક વિખવાદ ચાલી રહેલ છે. ત્યારે રાજકોટ ખાતે કોંગી ઉમેદવાર નરસી પટોડિયાને ભાજપે જબરદસ્તી ખેસ પહેરાવ્યો હોવાનાં કોંગ્રેસે આરોપ લગાવ્યાં છે.
ભાજપે કોંગી ઉમેદવાર નરસી પટોડિયાનું અપહરણ કરીને ખેસ પહેરાવ્યો હોવાંનાં ગંભીર આક્ષેપો કોંગ્રેસે લગાવ્યાં છે. જેને લઇને કોંગ્રેસનાં આગેવાનોએ વિવાદ વધુ વકરતા તેઓ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.