ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બન્ને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની તરફેણમાં લહેર છે. સૌરાષ્ટ્રમાં PM મોદી 3 વખત ચક્કર લગાવી ચૂક્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ છે તેને ડેવલોપ કરવા રાહુલજી આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મુદ્દાઓમાં રાષ્ટ્રવાદ છે. ભાજપ રાષ્ટ્રવાદનો માત્ર દેખાડો કરી રહી છે. ખેડૂતોના મુદ્દા પણ મહત્વના છે. લોકો ભાજપને જાકારો આપશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ રાહુલ ગાંધી, પીએમ નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે. હાલ સૌરાષ્ટ્રમાં કોની લહેર છે એતો ચૂંટણી પરિણામ જ કહેશે.