ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છેઃ ઈન્દ્રનીલ
એક તરફ વિવાદોનો વંટોળ અને બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'
વીડિયો વાયરલ થતાં આપી પ્રતિક્રિયા
તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરેલા રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો આ વીડિયો વાયરલ થતા તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાનની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.