સુરેન્દ્રનગર બેઠક પરથી કોંગ્રેસના સમીકરણો બદલાયા છે. કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાતને લઇ ચર્ચા તેજ બની છે. કોંગ્રેસમાંથી લાલજી મેરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત ઋત્વિક મકવાણાના નામ પર પણ વિચારણા ચાલી રહી છે. સોમા ગાંડાએ કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા લાલાજી મેરના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. ભાજપમાંથી મહેન્દ્ર મુંજપરા સામે કોંગ્રેસ લાલજી મેરને મેદાને ઉતારી શકે છે.
ભાજપના દેવજીભાઇ છે નારાજ
આપને જણાવી દઇએ કે, ભાજપે પોતાના ઉમેદવાર તરીકે દેવજીભાઇ ફતેપરાને બદલે સુરેન્દ્રનગરના જાણીતા તબીબ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવાની જાહેરાત કરતા દેવજીભાઇ ફતેપરા અને તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે આ તરફ સોમા ગાંડાએ કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા લાલજી મેરના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકતા જ દરેક રાજકીય પક્ષ હરકતમાં આવ્યા છે અને પોતાનો પક્ષ વધુ મોટી રીતે ઉભરી આવે અને સત્તામાં આવે તે માટે કમર કસી છે. આ તમામ બાબતો વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ છે. જેને પરિણામે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં અને કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.