રાહુલ ગાંધીના પ્રધાનમંત્રીના ઉમેદવાર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં નિવેદન આપ્યું હતુ. સહાય વિતરણ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં રાહુલની ઉમેદવારીને કોઈ આવકારતુ નથી અને રાહુલ PMના ઉમેદવાર જાહેર થાય તો કોંગ્રેસ વધુ તૂટશે.
આ ઉપરાંત ગુજરાતમાં બાંગ્લાદેશી મુદ્દે cm રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંગ્લાદેશી મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય છે.
CM વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે કોંગ્રેસની સરકાર સાથે ભ્રષ્ટાચાર ચોંટેલો રહે છે. કોંગ્રેસ વોટબેંકની રાજનિતી રમી રહ્યું છે અને વોટબેંકની રાજનિતીથી નુકસાન થઈ રહ્યું છે. મોદી સરકાર ઈમાનદાર સરકાર છે.