ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના બંને ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે. દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના બંન્ને ઉમેદવારો લડશે ચૂંટણી
કોંગ્રેસના એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે
જેમાં પહેલા નંબર પર શક્તિસિંહ ગોહીલ ઉમેદવાર રહેશે. જ્યારે બીજા નંબર પર ભરતસિંહ સોલંકી ઉમેદવાર રહેશે. મહત્વનું છે કે ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હતી. જેને કારણે કોઈ એક વ્યક્તિએ ફોર્મ પરત ખેંચવુ પડે તેમ હતું. જેને લઈને ખેંચતાણ હતી કે કોણ ફોર્મ પરત ખેંચશે.ત્યારે હવે કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.
કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
ગુજરાતમાં રાજ્યસભા ઈલેક્શનમાં ખેલ ખરાખરીનો જામ્યો છે. ભાજપે હોર્સટ્રેડિંગ કરીને પાંચ ધારસભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવ્યા છે. ત્યારે સંખ્યાબળની રીતે કોંગ્રેસે હવે મૂંઝવણમાં મૂકાયુ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના ચૂટંણી જંગને ભાજપે રાજીનામાંનો દાવ ખેલીને કોંગ્રેસ વિરૂધ્ધ કોંગ્રેસ કરી નાંખ્યો છે.
કોંગ્રેસમાં હજી વિકેટ પડે તેવી સ્થિતિ
કોંગ્રેસમાંથી હજુ પણ કેટલીક વિકેટો ખડી શકે છે. પરંતુ હાલ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં લાગી છે. જોકે બીજી તરફ કોંગ્રેસમાં પણ અંદરો અંદર શક્તિસિંહ અને ભરતસિંહના નામે ડખા ચાલી રહ્યા છે. કારણ કે, બંનેમાંથી કોઈ ફોમ પરત ખેંચવા તૈયાર નથી. જોકે હાલ તો જયપુરની હોટેલમાં કોંગ્રેસ મંથન કરી રહી છે. પરંતુ આ મંથન હવે કેટલા ધારાસભ્યોને બચાવી શકે છે તે જોવું રહ્યું.