ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. આજે પ્રચારના અંતિમ દિવસે સી.જે.ચાવડાએ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. આજે પ્રચારના અંતિમ દિવસે સી.જે.ચાવડાએ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ રેલીમાં સી.જે.ચાવડા સાથે VTV સીધી વાત કરતા હાર્દિક પટેલ સાથે બનેલ લાફાકાંડની ઘટના અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના નહીં પરંતુ દુર્ઘટના છે. આ ઘટના ખરેખર વખોડવા લાયક છે.
આપને જણાવી દઇએ કે, સી.જે.ચાવડા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે આગામી 23 એપ્રિલના રોજ થવાનો છે ત્યારે આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સી.જે.ચાવડા દ્વારા રેલી યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે.