યૂપી અમરોહા લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર સચિન ચૌધરીએ જાહેરાત કરી કે, ''જો તેમના સંસદીય ક્ષેત્રમાં ભાજપ જીતશે તો તેઓ મુંડન કરાવી દેશે અને પાંચ વર્ષ સુધી વાળ નહી રાખે.''
સચિન ચૌધરીએ ભાજપના ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યુ કે, ''ભગવા પાર્ટીના સમર્થનમાં એક્ઝિટ પૉલ બતાવનારા તમામ ચેનલો PM મોદીના હાથે વેચાઇ ગઇ છે.''
સચિન ચૌધરીએ પત્રકારો સાથે વાત કરીને એક્ઝિટ પોલ પર ઉઠાવી રહ્યુ છે, ''એક્ઝિટ પોલ સાવ નકામા છે. ભાજપ 200ના આકંડા સુધી નહીં પહોંચી શકે. ભાજપ ગભરાઇ ગઇ છે, માટે એક્ઝિટ પોલને પોતાના પક્ષમાં દર્શાવવા માટે સેટિંગ કર્યુ છે. ભાજપની કોશિસ છે કે એક્ઝિટ પોલના બહાને નાના દળોને પોતાની સાથે જોડી લીધા છે.''
સચિને કહ્યું કે, “અમરોહ બેઠક જો ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવર જીત્યા તો તેઓ માથાનું મુંડન કરાવી દેશે અને આગામી 5 વર્ષ સુધી માથા પર વાળ નહી રાખે. આ મારો દાવો છે. એક્ઝિટ પોલ ખોટા છે અને અફવા છે.”
જણાવી દઈએ ઉત્તર પ્રદેશની અમરોહ લોકસભા બેઠક પર આ વખતે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. માનવામાં આવી રહ્યુ છે કે, ''જીત હાર વચ્ચે 25000 મતોનું અંતર રહેશે.''
ભાજપે આ બેઠક પરથી કંવર સિંહ તંવરને ઉતાર્યા છે, જ્યારે બીએસપીએ કુંવર દાનિલ અલી પર દાવ લગાવ્યો છે. જો કવર સિંહને અહીંયાથી જીત મળી તો સતત બીજી વખત જીતનાર ચોથા સાંસદ હશે. તો કુંવર દાનિસ અલી જો જીતે છે તો લગભગ 20 વર્ષના લાંબા સમય પછી બીએસપીને બીજો સાંસદ મળશે. આ પહેલા વર્ષ 1999માં બીએસપીના રાશિદ અલી સાસંદ પહોંચ્યા હતા.