હાર્દિક પટેલના રાજીનામાં બાદ AAPનેતા ગોપાલ ઈટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ AAP નેતા ગોપાલ ઈટાલિયાનું પ્રતિક્રિયા
ગુજરાત વિધાનસભાની ચુંટણી માત્ર AAP અને ભાજપ વચ્ચે છે - ગોપાલ ઈટાલિયા
આખા દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચુકી છે. -ઈટાલિયા
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ અંતે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. જો કે, આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે.
કોંગ્રેસ પાર્ટી હવે લડી શકે તેમ નથી, કોંગ્રેસ તૂટી ગઈ છે અને આખા દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચુકી છે.
ગુજરાતમાં આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટીનો મજબુત વિકલ્પ હાજર છે. ગુજરાતમાં પરિવર્તન નક્કી છે.
હાર્દિક પટેલના રાજીનામા બાદ ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ જવા પામ્યા છે. એક તરફ નેતાઓનો પક્ષપલટો ચાલી રહ્યો છે.ત્યારે બીજી તરફ નેતાઓના રીસામણા અને નારાજગી સામે આવી રહી છે. ત્યારે આજે ગુજરાત રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસ હવે લડી શકે તેમ નથી, ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે- ઈટાલિયા
જને લઈને સૌ કોઈ રાજકીય નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હવે લડી શકે તેમ નથી, કોંગ્રેસ તૂટી ગઈ છે અને આખો દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. ગુજરાતમાં આ વખતે પરિવર્તન નક્કી છે.