ગુજરાત વિધાનસભાની અમરાઇવાડી સહિત કુલ છ બેઠક પર આગામી તા.ર૧ ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. દરમ્યાન કોંગ્રેસમાં શહેરની અમરાઇવાડી બેઠક માટેના સંભવિત ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના ત્રણેક નામની ચર્ચા ઊઠી છે.
પેટાચૂંટણીને લઇ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અઘ્યક્ષતામાં બેઠક
અમરાઇવાડીના સંભવિત ઉમેદવારોને લઇને ચર્ચા
કોંગ્રેસ દ્વારા જે તે વિધાનસભા બેઠકના નિરીક્ષકો પાસેથી ઉમેદવારની પસંદગીના રિપોર્ટ મંગાવાયા છે, જે આજે અથવા કાલે પ્રદેશ નેતૃત્વને સોંપાઇ જશે. અમરાઇવાડી બેઠકનો પ્રશ્ન છે ત્યાં સુધી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય હસમુખ પટેલ સામે લગભગ ૪૦ હજારથી વધુ મતે હારેલા કોંગ્રેસના હિંદીભાષી ઉમેદવાર અરવિંદ ચૌહાણ પણ ફરી ચૂંટણી લડવા થનગની રહ્યા છે, જોકે કોંગ્રેસનાં આંતરિક વર્તુળો કહે છે.
સંભવિત ઉમેદવારોના નામ
તેમને પુનઃ ચૂંટણી જંગમાં ઉતારાય તેવી શક્યતા નહીંવત્ છે, જ્યારે ભાઇપુરાનાં કોર્પોરેટર ઇલાક્ષીબહેન પટેલ ઉપરાંત શહેર ઉપપ્રમુખ ધર્મેશ પટેલ ઉપરાંત પાસના પૂર્વ અગ્રણી ડો.કનુભાઇ પટેલ એમ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ત્રણેક ઉમેદવારનાં નામ અમરાઇવાડી બેઠકના સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઇ રહ્યાં છે.
અમરાઇવાડીના સંભવિત ઉમેદવારોને લઇને ચર્ચા
પેટાચૂંટણીને લઇ કોંગ્રેસ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અઘ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. બેઠક દીઠ નિરીક્ષકો સાથે પ્રમુખ ચર્ચા કરશે. અમરાઇવાડીના સંભવિતો ઉમેદવારોપ્રદેશ કોંગ્રેસ કાર્યલાય પહોચ્યા હતા. ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને લઇને ચર્ચા કરવામાં આવી. 30 સપ્ટેમ્બરના ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.
અમરાઇવાડી બેઠક પર ભાજપના સંભવિત નામ
અમદાવાદના અમરાઇવાડી બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપના 10 જેટલા નામ સામે આવ્યા છે. જેમાં પૂર્વ મેયર આસિત વોરા, મહેશ કસવાલા, કમલેશ પટેલ અને અમુલ ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે.
રાજ્યમાં પેટા ચૂંટણીને લઇને ધમધમાટ શરૂ
રાજ્યમાં આગામી મહિને 6 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બેઠકો પર પેટા ચૂંટણી માટે ધમધમાટ અત્યારથી શરૂ થઈ ગયો છે. પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. રાજ્યની 6 બેઠકોમાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 21 ઓક્ટોબરે આ તમામ બેઠક પર ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.