51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. છેલ્લા 101 દિવસથી લડાઈ લડતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને હરાવ્યો.
ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો થતા આજે તેમને રજા આપવામાં આવી
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો થતા આજે તેમને રજા આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવારમાં હતા.
51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
નોંધપાત્ર છે કે 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.