રાજ્યસભાની ચૂંટણી મુદ્દે ગુજરાતમાં પણ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે ફરી એકવાર ભાજપ-કોંગ્રેસ આમને સામને આવ્યા છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, ચૂંટણી હારીશું પરંતુ છેલ્લા શ્વાસ સુધી લડીશું. તો ભાજપે આક્ષેપ ફગાવ્યા અને કહ્યું, કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. ત્યારે હવે કોંગ્રેસ પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી છે.
5 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં
વધુ ડેમેજ ન થાય તે માટે કોંગ્રેસ ધારાસભ્યોને જયપુર મોકલ્યા
BTP અને NCPના ધારાસભ્યોને મનાવવા પ્રયાસ
પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી છે. ત્યારે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ માટે BTP અને NCPના ધારાસભ્યોને મનાવવા પ્રયાસ હાથ ધર્યા છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવાને મનાવવા કોંગ્રેસે સંપર્ક કર્યો હતો. તો NCPનો મત લેવા માટે કોંગ્રેસે શરદ પવારનો પણ સંપર્ક કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા માટે NCP વ્હીપ જાહેર કરી શકે છે. છોટુ વસાવાએ 2017માં પણ રાજ્યસભામાં અહેમદ પટેલને મત આપ્યો હતો. ત્યારે હવે ચૂંટણી વખતે જ ખબર પડશે કે BTP અને NCP કોને મત આપશે...
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા હજુ એક કોંગ્રેસના કપરાડના ધારાસભ્ય જીતુ ચૌધરી સંપર્ક વિહોણા બન્યા છે. 4.30 વાગ્યાની ફ્લાઈટમાં જીતુ ચૌધરી જયપુર જવાના હતા. જીતુ ચૌધરીની ટીકીટ કંફોર્મ હતી. છેલ્લી ઘડીએ જીતુ ચૌધરી એરપોર્ટ ના આવ્યા. જેને લઇને પ્રદેશ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામાં
ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા ધારાસભ્યોની કોંગ્રેસે હકાલપટ્ટી કરી છે. કોંગ્રેસે પાંચેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સોમા પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી.કાકડિયા, પ્રવિણ મારું અને મંગળ ગાવિતને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે.