લોકસભા ચૂંટણી 2019ની છેલ્લા તબક્કાની લડાઇમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમણે પહેલા ભષ્ટ્રાચારી નંબર 1 બતાવ્યા અને પછી INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કરવાનાનો આરોપ લગાવ્યો છે, જેના પર હવે કોંગ્રેસ પણ પલટવાર કર્યો છે.
કોંગ્રેસની તરફથી એક ફોટો જારી કરવામાં આવી છે, જેમાં મોદી સરકારના મંત્રી અથવા તો તેમના સમર્થક નૌસેનાના યુદ્ધજહાજ સુમિત્રામાં દેખાઇ રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને બોલિવુડનો સ્ટાર અક્ષય કુમાર પણ શામેલ છે.
કોંગ્રેસની સોશિયલ મીડિયા રણનીતિકાર દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાનને ટેગ કરીને પુછ્યું કે, તમે કેનેડાના નાગરિક અને બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને INS સુમિત્રા પર લઈ ગયા હતા તે યોગ્ય હતું? મહત્વનું છે કે અક્ષય કુમારે તેમના નાગરિકતા સંબંધિત અટકળો પર વિરામ લગાવતા ગત મહિને જ કહ્યું હતું કે, તેમની પાસે કેનેડાનો પાસપોર્ટ છે. સ્પંદનાએ એક આર્ટિકલને પણ ટેગ કર્યો હતો જેમા વર્ષ 2016માં વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય સમૂહ સમીક્ષા દરમિયાન બોલિવુડને સામેલ કરવા અંગે વાંધો ઉઠ્યો હતો.
કોંગ્રેસે દાવો કરતા કહ્યું કે, "અક્ષય કુમારે તો પ્રેસીડેન્શિયલ યોચ INS સુમિત્રાને નેવીના અન્ય અધિકારીઓ અને અન્ય અતિથિઓની સાથે ચલાવ્યું પણ હતું." તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફોટો 2016ની છે, જેમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં શામેલ થયા હતા, આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હતી. આ આયોજનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અક્ષયના દિકરાની કાન ખેંચતી ફોટો પણ વાયરલ થઇ હતી.
અક્ષયની ફોટો સિવાય સોશ્યલ મીડિયા પર જે ફોટો વાયરલ થઇ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી રિજિજૂ લડાકૂ વિમાનની સવારી કરી રહ્યા છે. આ ફોટોની સાથે સવાલ કરવામાં આવી રહ્યુ છે કે રિજિજૂની લડાકૂ વિમાનનો ઉપયોગ એક પર્સનલ ટેક્સી તરીકે કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ પોતાની એક રેલીમાં કહ્યુ હતુ કે, ''INS વિરાટનો ઉપયોગ એક ખાનગી ટેક્સ તરીકે ઉપયોગ કરી તેનું અપમાન કર્યું હતું. આ ત્યારે થયું જ્યારે રાજીવ ગાંધી અને તેમનો પરિવાર 10 દિવસની રજા પર ગયો હતો. આઈએનએસ વિરાટને આપણી સમુદ્રી સીમાની રક્ષા માટે તહેનાત કરાયું હતું પરંતુ તેનો રસ્તો બદલીને ગાંધી પરિવારને ફેરવવા માટે ઉપયોગ કરાયો હતો." આ પહેલાં પણ પીએમ મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા. પીએમએ કહ્યું હતું કે, "શું તે વાતની કલ્પના કરી શકાય છે કે ભારતીય સશસ્ત્ર સેનાઓના વિશેષ યુદ્ધ જહાજને વ્યક્તિગત રજાઓ માટે એક ટેક્સી તરીકે રોકવામાં આવે? એક વંશે આવું કર્યું."