રાહુલ ગાંધીએ ગરીબી મુદ્દે ફરી મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. જેમા તેમણે મોદી સરકારને કહ્યું કે ગરીબી વધારવાનું બંધ કરો અને ન્યાય યોજના લાગૂ કરો
ગરીબી મુદ્દે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું ગીરીબી વધારવાનું ઓછું કરો
ન્યાય યોજના લાગુ કરવા માગ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વખત મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આ વખતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર ગરીબી વધારી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર દેશમાં ગરીબી વધારી રહી છે. જેથી તેમણે ન્યાય યોજના લાગૂ કરાવાની વાત કરી છે.
13.4 કરોડ લોકો દિવસના 150 કમાય છે
ફેસબુક પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર દેશમાં ગરીબી વધારી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે દેશની 13.4 કરોડની જનતા દિવસના 150 રૂપિયા કરતા પણ ઓછા કમાઈ રહ્યા છે. જેથી આ લોકોને ન્યાય યોજના અંતર્ગત મહિને 6 હજાર આપવા જોઈએ.
2020માં 6 કરોડ લોકો દિવસના 150 કમાતા હતા
રાહુલ ગાંધીએ પ્યૂ રિસર્ચ સેંટરનો ચાર્ટ રજૂ કર્યો જેમા એવો દાવો કરવામાં આવ્યો છે કે 2020માં 6 કરોડો લોકો 150 રૂપિયા દિવસના કમાતા હતા પરંતુ 2021માં આકડો 13.4 કરોડ સુધીનો પહોચી ગયો છે. કે જેઓ દિવસના 150 રૂપિયા કમાય છે.
5 કરોડ ગરીબ પરિવારોને 600 આપવાની માગ
ગત વર્ષે લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ ન્યાય યોજનાનો વાયદો કર્યો હતો. કોગ્રેસે કહ્યુ હતું કે જો તેઓ સત્તા પર આવસે ત્યારે તેઓ 5 કરોડ ગરીબ પરિવારોને મહિને 6 હજાર રૂપિયા આપશે. જોકે તેમની કોંગ્રેસની હાર થઈ હતી જેથી વાયદો વાયદોજ રહી ગયો હતો.
લાઠીચાર્જ કરતો વીડિયો અપલોડ કર્યો
ઉલ્લેખનીય છે કે રાહુલગાંધીએ અગાઉ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા રોજગારી માટે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલાસ લાઠીચાર્જ કરતી નજરે પડી હતી. વીડિયો અપલોડ કરીને તેમણે એવું કહ્યું હતું કે રોજગાર માગશો તો લાકડી મળશે. કારણકે ભાજપ સરકાર માત્ર મારામારી કરતા જાણે છે.