કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ પર JNU માં હુમલો કરનારાને સંરક્ષણ આપવાનો આરોપ સોમવારે લગાવ્યો છે. તેઓએ કહ્યું કે આ કેસની તપાસ થવી જોઈએ. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે PM મોદી અને અમિત શાહે વિદ્યાર્થીઓ પર દમન કરીને નાઝી શાસનની યાદ કરાવી છે. આ સાથે જ પાર્ટીના અન્ય સભ્યો દિગ્વિજય સિંહ અને અભિષેક મનુ સિંઘવીએ પણ આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસે લગાવ્યો ગૃહમંત્રી પર આરોપ
ઘટનાની થાય ન્યાયિક તપાસઃ કોંગ્રેસ
રણદીપ સુરજેવાલાએ પીએમ અને ગૃહમંત્રી પર લગાવ્યા આરોપ
સુરજેવાલાએ ગૃહમંત્રી અને પીએમ પર નિશાન સાધીને કહ્યું કે યુવા પ્રજાતંત્ર અને સંવિધાન પર હુમલાની વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે તો તેમનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. મોદીજી જાણી લો યુવાઓનો અવાજ દબાશે નહીં. સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી ચાલશે નહીં.
આતંકવાદ અને ગુંડાગીરી માટે અમિત શાહ જવાબદારઃ સુરજેવાલા
સુરજેવાલાએ કહ્યું કે અમિત શાહજી તમારી કોઈ તપાસ પર ભરોસો નથી. કેમકે આ ગુંડાગીરીને તમારું સંરક્ષણ મળ્યું હતું. તેઓએ કહ્યું કે અમારી માંગ છે કે ન્યાયિક તપાસ થાય. ઉચ્ચ ન્યાયાલય અથવા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના કોઈ વર્તમાન ન્યાયાધીશ પાસે તપાસ કરાવવામાં આવે. તેનાથી આ સચ્ચાઈ સામે આવશે. તેઓએ કહ્યું કે ગૃહમંત્રાલય અને જેએનયૂ પ્રશાસનની ભૂમિકાની તપાસ કરવામાં આવે.
સુરજેવાલાએ કરી ટ્વિટ
ટ્વિટમા સુરજેવાલાએ કહ્યું છે કે મોદીજી અને અમિત શાહજી આખરે દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓથી તમારી શું દુશ્મની છે. ક્યારેક ફી વધારાના નામે યુવાઓને મારવામાં આવે છે. ક્યારેક સંવિધાન પર હુમલાનો વિરોધ હોય તો માર મારવામાં આવે છે. હવે જેએનયૂમાં હિંસાનો માર મારવામાં આવે છે અને તે પણ સરકારી સંરક્ષણમાં. તેઓએ દાવો કર્યો છે કે જેએનયૂનો હુમલો સુનિયોજિત હતો. ગુંડાઓને ભાજપનું સમર્થન મળ્યું હતું. એટલે જ વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ મૂકદર્શક બની હતી.
मोदी जी और अमित शाह जी की आख़िर देश के युवाओं और छात्रों से क्या दुश्मनी है?
कभी फ़ीस वृधि के नाम पर युवाओं की पिटाई, कभी सविंधान पर हमले का विरोध हो तो छात्रों की पिटाई।
आज जवाहर लाल नेहरू में हिंसा का नंगा नाच हो रहा है और वो भी सरकारी संरक्षण में!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ ઘટનાને લઈને ગૃહમંત્રી પાસે જવાબ માંગ્યો છે. તેઓએ ઘટનાની નિંદા કરતાં ટ્વિટ કરી છે. જેમાં ગૃહમંત્રી અથવા આ ગુંડાઓ પર કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે, જો કાર્યવાહી ન થાય તો રાજીનામું આપવા જણાવ્યું છે.
JNU विश्वविद्यालय के छात्राओं के होस्टल में रात को घुस कर ABVP के गुण्डों द्वारा जो मार पीठ की है उसकी मैं घोर निंदा करता हूँ। दिल्ली पुलिस देखती रही। क्या भारत के गृह मंत्री पर जवाबदारी नहीं बनती? गृह मंत्री या तो इन गुण्डों पर सख़्त कार्यवाही करें या इस्तीफ़ा दें। https://t.co/8qoVmpXQa2
કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ જેએનયુ હિંસાને લઈને ત્રણ ટ્વિટ કર્યા છે. પહેલી ટ્વિટમાં તેઓએ કહ્યું છે કે જેએનયૂમાં ગુંડાગીરી માટે સત્તારૂઢ પાર્ટી સાથે સંબંધ છે.