ગુજરાતમાં છેલ્લા 12 મહિનાથી 6 હજાર શાળાઓ બંધ કરવાનું પાપ ભાજપ કરી રહી છે, ગુજરાતમાં શિક્ષણ સ્થિતિ મુદ્દે કોંગ્રેસે આક્રામક પ્રહાર કર્યા
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર
રાજ્યની શિક્ષણ સ્થિતિ મુદ્દે કર્યા પ્રહાર
શિક્ષકોને ડરાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે
ગુજરાતમાં શિક્ષણ સ્થિતિ મુદ્દે કોંગ્રેસે આક્રામક પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં અવ્યવસ્થા માટે ગાંધીનગર જવાબદાર છે. શિક્ષકોને સજ્જ કરવા માટે નત નવા નાટકો કરાય છે. છેલ્લા 12 મહિનાથી 6 હજાર શાળાઓ બંધ કરવાનું પાપ ભાજપ કરે છે. UPA સરકાર પર શિક્ષણમંત્રી નીત નવા આક્ષેપો કરે છે. કોંગ્રેસે પૂછ્યું કે, 3 વર્ષ સુધી RTEનો અમલ કેમ કર્યો નથી. ગુજરાતમાં શિક્ષક વગરની શાળાઓ ભાજપની ભેટ છે.
શિક્ષકોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખરા અર્થમાં સજ્જ થવાની જરૂર શિક્ષણ વિભાગને છે. શિક્ષકોને વધારાના કામો સોંપવામાં આવે છે. શિક્ષકોને માત્ર શિક્ષણનું કામ જ સોંપવામાં આવવું જોઈએ. ગુજરાતના શિક્ષણને તોડવા માટે સજ્જતાનું નામ લે છે. 14 હજારથી વધુ વર્ગખંડો એવા છે જેમાં એક ધોરણ કરતા વધુ ધોરણોને ભણાવવામાં આવે છે. શિક્ષણમાં 9મા નંબરથી 19 પર આવ્યું છે.
શિક્ષકોની પરીક્ષાને લઈ વિવાદ
ગુજરાતમાં સમયાંતરે શિક્ષકોની પરીક્ષા યોજાતી હોય છે. પરંતુ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી વિરુદ્ધ હવે આંદોલન છેડાયું છે. આ મામલે અખિલ ભારતીય શિક્ષણ સંઘે આંદોલનનું એલાન કરી દીધું છે. પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉગ્ર આંદોલનનું એલાન કરાયું છે. શિક્ષણ મંત્રી મનમાની કરી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. શિક્ષણ સુધારાના નારા સાથે શિક્ષણ સંઘ આંદોલન ચલાવશે. આવતીકાલે શિક્ષકો ધિક્કાર દિવસ તરીકે મનાવશે. સરકારે ધારાસભ્યોનું ન સાંભળ્યું હોવાનો આક્ષેપ છે. કસોટી શિક્ષકોના અપમાન સમાન હોવાનું શિક્ષણ સંઘ જણાવ્યું હતું.