દીવાળીના તહેવારનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. માર્કેટ સજી ચુક્યા છે. તમામ ઓફર્સ આવવા લાગી છે. એવામાં કોંગ્રેસ તરફથી પણ એક ઓફરની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ પાંચ કરોડ રૂપિયા ઇનામ આપવાની વાત કહેવામાં આવી છે. આ ઓફરનું નામ પૂજા ઓફર આપવામાં આવ્યું છે. જે હેઠળ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે અને જે કોઇ એ પ્રશ્નોના જવાબ સાચા આપે છે તો એને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તમને પણ જણાવીએ એ પૂરી ઓફર માટે...
વાસ્તવમાં આ ઓફરની શરૂઆત પટનાથી કરવામાં આવી છે. જ્યાં દરેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવેલા 35 એરપોર્ટના નામ અને રાફેલનો ભાવ જણાવવા માટે કહ્યું છે. જવાબ આપનાર લોકોને 5 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની વાત પણ કહેવામાં આવી છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓ સિદ્ધાર્થ ક્ષત્રિય અને વ્યંકટેશ રમનના ફોટાની સાથે લઆ પોસ્ટર્સ પર લખ્યું છે કે ''પૂજા ધમાકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે 35 એરપોર્ટનું નામ રાફેલનો ભાવ મેળવો પાંચ કરોડની ગિફ્ટ.
આ પૂરા મામલમાં બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના એક નેતાએ જણાવ્યું કે સિદ્ધાર્થ અને રમન બીપીસીસીના પદાધિકારી નથી. સાથે એમને એવું પણ કહ્યું કે જે રીતે પોસ્ટચરમાં રાફેલ ડીલ પર થયેલા કથિત કરાર અને 35 એરપોર્ટનું નિર્માણ માટે કહેવામાં આવ્યું છે એ ખોટું નથી.
તો બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આ પોસ્ટ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે આ ઇનામને કોઇ જીતે કે ના જીતે રાહુલ ગાંધી જરૂરથી જીતશે.