100 કરોડ વેક્સિનના ડોઝ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેમણે 2021ના અંત સુધીમાં 74 કરોડ લોકોને વેક્સિન કેવી રીતે આપશે સરકાર તેવો સીધો સવાલ કર્યો છે.
વેક્સિનેશન મામલે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર
રણદીપ સુરજેવાલે કર્યા મોદી સરકાર પર આકરા પ્રહાર
કોરોનાતી થયેલા મોતના આકડા પર તપાસ કરવા કરી માગ
દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે આજે PM મોદીએ કહ્યુ કે કોરોનાને જલ્દીથી જલ્દી હરાવાનો છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ તબીબોને તેમજ હેલ્થ વર્કરોને શુભકામનાઓ તો આપી. પરંતુ સરકાર પર પર તેમણે વેક્સિનેશનને લઈને આકરા પ્રહારો કર્યા છે.
તબીબોને અને હેલ્થવર્કરને અભિનંદન આપ્યા
સુરજેવાલાએ એ હેલ્થવર્કર અને તબીબોને 100 કરોડ વેક્સિનેશન માટે અભિનંદન આપ્યા. સાથેજ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર યોગ્ય જવાબદારીઓ સ્વીકારવાની જગ્યાએ પોતાનાજ કામના વખાણ કરી પોતાનેજ શાબાશી આપી રહી છે.
વેક્સિનેશન મામલે સરકાર પર પ્રહાર
વધુમાં સુરજેવાલે કહ્યું કે મોદી સરકાર લોકો જીવ જોખમમાં નાખી રહી છે. ઉપરાંત તેમણે સરકારને સવાલ કરતા કહ્યું કે કુલ 74 કરોડ ભારતીયોને વેક્સિન કેટલા સમયમાં મળશે॥ ઉપરાંત એવો પણ તેમણે કર્યો કે 32 કરોડ લોકોને હજુ વેક્સિનનો એક ડોઝ પણ નથી મળ્યો જ્યારે 42 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો માત્ર 1 ડોઝ લીધો છે.
સરકારે કરેલા દાવા સામે કર્યા સવાલ
સરકારને સવાલ કરતા સુરજેવાલે કહ્યું કે PM મોદી જવાબ આપે કે 70 દિવસમાં તેઓ 106 કરોડ લોકોને વેક્સિન કેવી રીતે લગાવશે. આપને જણાવી દઈએ કે સરકારે 2021ના અંત સુધીમાં દરેક લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. ભારત વેક્સિનના બંને ડોઝ આપવામાં 20માંથી 19માં સ્થાને આવે છે.
કોરોનાના મોતના આકડા પર તપાસની માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સુરજેવાલે યોગ્ય તપાસ કરવાની માગ કરી છે. જેમા ખાસ કરીને કોરોનાને કારણે કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોના પરિવારને સહાય આપવામાં આવશે તેને લઈને પણ તેમણે તપાસની માગ કરી છે.