કોંગ્રેસે આંદોલન કરી રહેલા ખેડૂતોને કહ્યું છે કે તેમની સરકાર બનશે તો તેઓ આ કાયદાઓને નાબૂદ કરી દેશે.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સંબોધીને કહ્યું હતું જો અમારી સરકાર આવશે તો અમે આ ત્રણ કૃષિ 'કાળા કાયદાઓ'ને નાબૂદ કરી દઈશું.
અમે ખેડૂતોના ખભે ખભા મેળવીને ઉભા છીએ
રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ ખેડૂતોના ખભે ખભો મેળવીને તેમણે સમર્થન આપે છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણી કરી હતી કે PM મોદી એક દેશ એક ચુંટણીની વાત કરે છે તેમણે એક દેશ એક વહેવારની વાત કરવી જોઈએ.
किसानों की आवाज दबाने के लिए
👉पानी बरसाया जा रहा है
👉सड़कें खोदकर रोका जा रहा है
लेकिन सरकार उनको ये दिखाने और बताने के लिए तैयार नहीं है कि MSP का कानूनी हक होने की बात कहां लिखी है
एक देश, एक चुनाव की चिंता करने वाले प्रधानमंत्री जी को एक देश, एक व्यवहार भी लागू करना चाहिए pic.twitter.com/7mQwA812Z8
"સરકાર ખેડૂતોને ટેકાના ભાવનો હક લેખિતમાં આપવા માટે તૈયાર નથી"
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે તેમની ઉપર પાણીનો મારો કરવામાં આવે છે, રસ્તા ઉપર અવરોધો ગોઠવી દેવામાં આવ્યા છે પણ સરકાર તેમને ટેકાના ભાવનો હક લેખિતમાં આપવા માટે તૈયાર નથી.
"આ રાજકીય લડાઈ નથી"
રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે આ કોઈ રાજકીય લડાઈ નથી. આ કૃષિ માટેની લડાઈ છે. કોંગ્રેસ અને તમામ રાજકીય પક્ષો ખેડૂતો સાથે સમર્થનમાં ઉભા છે. આ માટે કોઈ પણ બલિદાન આપવા અમે તૈયાર છીએ. જો ખેડૂતો અન્નનું ઉત્પાદન બંધ કરી દેશે તો દિલ્હીનું શાસન પડી ભાંગશે.