રાફેલ ડીલને લઈને રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મોદી સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોદી સરકાર દ્વારા સમગ્ર મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું
રાફેલ ડીલને લઈને રાજકારણ ગરમાયું
કોગ્રેસે મોદી સરકાર પર ફરી નિશાન સાંધ્યું
રાહુલ ગાંધીએ JPC તપાસની માગ કરી
રાફેલ ડીલને લઈને ફ્રાન્સમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને કારણે રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ફરી વખત મોદી સરકાર પર નિશાન સાંધ્યુ છે. આ મામલે રાહુલ ગાંધીએ તો JPC તપાસની માગ કરી છે. સાથેજ તેમણે ચોરની દાઢી જેવા શબ્દોનો પ્રયોગ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે. રાફેલ ડીલને લઈને કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી હતી.
બધા દેશોમાં રાફેલ ડીલની ચર્ચા
કોંગ્રેસ પ્રવક્તા પવનખોડાએ એવું કહ્યુ છે કે આઝાદી પછી જેટલી પરણ સરકાર આવી છે, તેમણે દેશની સુરક્ષાને ગંભીરતાથી લીધી છે. પરંતુ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા નથી રાખવામાં આવી. કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે બધા દેશોમાં હાલ રાફેલ ડીલની ચર્ચા થઈ રહી છે.
કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠ્યા
આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં રાફેલ ડીલ સામે મની લોન્ડ્રીંગ ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. જેના કારણે કેન્દ્ર સરકારો સામે સવાલ ઉભા થયા છે. પરંતુ આ મામલે હજુ સુધી મોદી સરકાર દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું. બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા એવું ટ્વીટ પણ કરવામાં આવ્યું છે કે મોદી સરકાર JPC તપાસ માાટે તૈયાર કેમ નથી?
વડાપ્રધાન બધા સવાલોના જવાબ આપે તેવી કોંગ્રેસની માગ
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરે અને સમગ્ર મામલે જવાબ આપે. સાથેજ કોંગ્રેસે એવું પણ કહ્યું કે 2021 સુધી જે પણ કાંડ થયા છે તેના જવાબ આપવામાં આવે 2024ની વાત બાદમાં કરવામાં આવે. વધુમાં કોંગ્રેસે એવું પણ કહ્યુ કે 3 ગણી કિંમતે જહાજો ખરીદવામાં શા માટે આવ્યા.
108 જહાજ બનાવાનો ટેન્ડરમાં ઉલ્લેખ
વધુમાં કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર કોઈ નિવેદન નથી આપી રહી, જે વાત પર આખી દુનિયાની નજર છે. કોંગ્રેસનું કહેવું છે કે રાફેલ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ફાઈટર જેટ છે. જેથી યુપીએ સરકારે ઈયરોનોટિક્સ લિમિટેડને ભાગીદારી આપી. જેમા 108 જહાજ બનાવામાં આવશે તેવો ટેન્ડરમાં પણ ઉલ્લેખ હતોૉ, અને એક જહાજ પાછળ 570 કરોડનો ખર્ચ હતો.
મોદી સરકારની ચુપ્પી પર કોંગ્રેસના પ્રહાર
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા પવનખોડાએ એવું કહ્યું છે, કે સરકારની ચુપ્પી સૌથી મોટો સબૂત છે. સાથેજ તેમણે કહ્યું મોદી સરકાર 2014 અને 2019માં ચૂંટણી જીતી હતી. જેથી તેમણે બધાના સવાલોના જવાબ આપવા પડશે.