લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હારના કારણો શોધી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી, જેમાં હારના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર હાર અને સમગ્ર દેશમાં માત્ર ૫૨ બેઠકો પર સીમિત થઇ ગયેલ કોંગ્રેસના સીનીયર નેતા અર્જન મોઢવાડીયાએ જણાવ્યું કે ભાજપે ભયનો માહોલ ઉભો કરીને જીત મેળવી. સાથે કહ્યું કે હારના કારણો અંગે ચિંતન કરીશું.
આપને જણાવી દઇએ કે, વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ભાજપને 300થી વધુ બેઠકો પ્રાપ્ત થઇ હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો, એક તરફ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પોતાની અમેઠી બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
તો આ સાથે જ કેટલાક રાજ્યો એવા પણ હતા જ્યાં ભાજપની તમામ બેઠકો પર જીત થઈ હતી. આ પ્રકારની કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને સમગ્ર દેશમાંથી 13 જેટલા કોંગ્રેસના દિગ્ગજોએ રાજીનામા ધરી દીધા હતા.
ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ કેટલીક ચહલપહલ જોવા મળી હતી. ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હારના કારણો શોધી રહી છે જેને લઇને દિલ્હીમાં એક બેઠક પણ યોજાઇ છે આ બેઠકને લઇને કોંગ્રેસના સીનીયર નેતા અર્જન મોઢવાડીયાએ જણાવ્યું કે ભાજપે ભયનો માહોલ ઉભો કરીને જીત મેળવી. સાથે કહ્યું કે હારના કારણો અંગે ચિંતન કરીશું.