ગાંધીગનર: ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 118મીં જન્મજયંતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્યામા પ્રસાદને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કશ્મીરની સ્થિતિને લઇને CM રૂપાણીનું મોટું નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કાશ્મીરની પરિસ્થિતિ માટે નેહરુને જવાબદાર ગણાવ્ય હતા.
તેમણે કહ્યુ કે નેહરુએ ડૉક્ટર મુખર્જીની વાત માની હોત તો હાલમાં કશ્મીરની સ્થિતિ અલગ જ હોત. ડૉક્ટર મુખર્જીએ એક રાષ્ટ્ર એક ધ્વજ અને એક સંવિધાનની સલાહ આપી હતી જે નેહરુએ માની ન હતી.
કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ આપ્યો વળતો જવાબ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેહરુ અંગે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીએ વળતો જવાબ આપ્યો છે કે આઝાદીની લડાઈમાં ભાજપ ક્યાય ન હતું પણ ઈતિહાસ વાંચવો જોઈએ. શ્યામપ્રસાદ મુખર્જી આઝાદીની લડાઈના વિરોધમાં હતા.
તેમણે ભારત છોડો અભિયાનના વિરોધમાં અંગ્રેજોને પત્ર પણ લખ્યો હતો. મહંમદ અલી ઝીણા સાથે તેમણે વાટાઘાટો કરી સરકાર પણ બનાવી હતી. મુસ્લિમ લીગની સરકારમાં નાયબ પ્રાંત પ્રધાન બન્યા હતા.