મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને લઇ સોમવારે મુખ્યમંત્રી કિસાન યોજના શરૂ કરી છે. સીએમ રૂપાણીએ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે ખેડૂતોએ હવે આ વર્ષે કોઇ પ્રીમિયમ નહીં ભરવું પડે. રાજ્યના તમામ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન યોજનામાં આવરી લેવામાં આવશે. ત્યારે હવે CM રૂપાણીએ પ્રધાનમંત્રી પાક વિમા યોજના રદ્દ કરીને નવી મુખ્યમંત્રી કિસાન યોજના શરૂ થતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે.
CM રૂપાણીની જાહેરાતનો વિરોધ
કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન
નવી યોજનાને લોલીપોપ ગણાવી
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી દેશના ખેડૂતોને ફાયદો મળ્યો છે. ગુજરાતમાં ખેડૂતોની ગ્રોથ ડબલ ડિજિટમાં છે. જણાવાય રહ્યું છે કે, ગુજરાતમાં અંદાજિત 1800 કરોડ રૂપિયા દર વર્ષે પ્રીમિયમની રકમ આપવામાં આવી હતી. પરંતુ આ વખતે ગુજરાત સરકારને નિર્ણય કર્યો છે કે, ખેડૂત વીમા કંપનીનું પ્રીમિયમ નહીં ભરે. ખેડૂતોને પાક વીમો આપવા માટે ગુજરાતમાં ખેડૂત સહાય યોજના શરૂ કરવામાં આવી રહી છે. જે હઠળ દુષ્કાળ, અતિવૃષ્ટી, કમોસમી વરસાદમાં ખેડૂતોને વીમાનો લાભ મળશે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ જાહેરાતથી ખેડૂતો ખુશ છે. રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતોએ વધાવ્યો છે. તેવામાં હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા નવી યોજનાને લોલીપોપ ગણાવી.
મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાતની સાથે CMએ પ્રધાનમંત્રી ફસલ યોજનાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાતને લઇ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું. મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ યોજના રદ્દ કરીને ખેડૂતોને લપડાક મારી છે. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત છેતરામણી અને લોલીપોપ છે. ગુજરાતના 56 લાખ ખેડૂતો સાથે છેતરપિંડી છે. સરકાર આ જાહેરાત પાછી ખેંચે તેવી કોંગ્રેસની માંગ છે. સાથે પાક વીમા યોજના ફરી લાગૂ કરવા અનુરોધ કર્યો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, છત્તીસગઢ સરકારની યોજના પ્રમાણે સહાય કરવાની જાહેરાત સરકાર કરે.
જાણો મુખ્યમંત્રી કિસાન યોજના વિશે...
મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને લઇ સોમવારે મુખ્યમંત્રી કિસાન યોજના શરૂ કરી છે. સીએમ રૂપાણીએ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે ખેડૂતોએ હવે આ વર્ષે કોઇ પ્રીમિયમ નહીં ભરવું પડે. રાજ્યના તમામ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન યોજનામાં આવરી લેવામાં આવશે. SDRFના લાભ, ખરીફ પાક માટે, આદિવાસી ખેડૂતો, અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ અને માવઠાને આ યોજનામાં આવરી લેવાશે. યોજના અંતર્ગત ખેડૂતોને 4 હેક્ટર સુધી નુકસાન ચૂકવવામાં આવશે. જેમાં 33થી 60 ટકા નુકસાન માટે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા. 60 ટતાથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 25 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઇ-ગ્રામ સેન્ટર પર જઇ પોર્ટલ પર અરજી કરવી પડશે. જે બાદ ખેડૂતોને સીધા તેમના બેંકના ખાતામાં જ સહાય ચૂકવવામાં આવશે. અને ખેડૂતોને માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે 10 ઈંચથી ઓછો વરસાદ હશે તો અછત જાહેર કરીશું. વાદળ ફાટે, સતત ભારે વરસાદ હોય તો અતિવૃષ્ટિ ગણાશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં 35 ઈંચથી વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાશે. અને દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લામાં 25 ઈંચ વરસાદે અતિવૃષ્ટિ ગણાશે. સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે 48 કલાકમાં 2 ઈંચ વરસાદ પડે તો કમોસમી વરસાદ, અને સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો સહાય અપાશે. અને 33 ટકાથી ઓછા નુકસાનમાં સહાય નહીં મળે.