મધ્યપ્રદેશની કમલનાથ સરકારે ઉજ્જૈનના મહાકાલ મંદિરની કાયાપલટનું બીડું ઉઢાવ્યું છે. તેઓએ આ માટે 300 કરોડ રૂપિયાની યોજના બનાવી છે.
મધ્યપ્રદેશની કમલનાથ સરકાર હિંદુત્વના નામે સતત બીજેપીને ટક્કર આપી રહી છે. રામ, ગૌશાળા અને સાથે નર્મદા બાદ હવે કમલનાથ સરકારે વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના કાયાપલટનું બીડું ઉઠાવ્યું છે. ઉજ્જૈનનું આ મહાકાલ મંદિર 12 જ્યોર્તિલિંગમાંનું એક માનવામાં આવે છે. અહીં દેશ -વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ અને રાજકીય વ્યક્તિઓ પણ આવે છે.
આ શ્રદ્ધાભાવને જોતાં મુખ્યમંત્રી કમલનાથે મહાકાલ મંદિરને માટે 300 કરોડ રૂપિયાની યોજના બનાવી છે. તેમાં મંદિરનો વિસ્તાર અને વ્યવસ્થાઓમાં સુધાર લાવવામાં આવશે. સાથે મંદિરના અધિનિયમમાં સંશોધનનો પ્રસ્તાવ પણ કેબિનેટમાં લાવવામાં આવશે. શ્રદ્ધાળુઓ ફક્ત દર્શન માટે આવે જ નહીં પણ અહીં 1-2 દિવસ રોકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. મંદિર સાથે જોડાયેલી વ્યવસ્થા, પૌરાણિક મહત્વ અને વ્યવસ્થાઓની સુવિધા વધારવી જોઈએ, તેનાથી શહેરનો પણ વિકાસ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ નવા નિર્માણમાં મંદિરના મુખ્ય રૂપ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં.
આ માટે 3 કેબિનેટ મંત્રીઓની સમિતિ બનાવવામાં આવી છે. તેમાં જિલ્લાના પ્રભારી અને પીડબલ્યૂડી મંત્રી સજ્જન સિંહ વર્મા, આધ્યાત્મ વિભાગ મંત્રી પીસી શર્મા અને નગર મંત્રી જયવર્ધન સિંહ પણ હાજર રહેશે. મહાકાલ મંદિરમાં વિકાસ અને વિસ્તારની યોજનામાં સુવિધા વધારવાની સાથે પ્રવેશ અને નિર્ગમ, ફ્રંટિયર યાર્ડ, નંદીહાલનો વિસ્તાર, મહાકાલ થીમ પાર્ક, મહાકાલ કોરિડોર, ધર્મશાળા, રુદ્રસાગરની લેંડ સ્કેપિંગ, રામઘાટ માર્ગનું સૌંદર્યીકરણ, પર્યટન સૂચના કેન્દ્ર, રુદ્રસાગર ઝીલનું પુનઉદ્ધર, યાત્રીઓની સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે.