આણંદઃ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ત્યારે આંકલાવ ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં આણંદ લોકસભાની બેઠકની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી લડશે.
મહત્વનું છે કે આણંદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું હોમ ગ્રાઉન્ડ છે. ૨૦૧૪ અગાઉની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર જીતતી આવી છે.
જો કે અત્યારસુધી માત્ર બે વખત જ આણંદ બેઠક પર ભાજપના સાંસદ ચૂંટાઈને આવ્યા છે. પરંતુ હવે સમીકરણો અગાઉ કરતાં ઘણા બદલાયા દેખાઇ આવે છે.
જેમાં આણંદ લોકસભા બેઠક અત્યારથી જ કોંગ્રેસની સેફ સીટ કહેવાઈ રહી છે. આણંદ આમ પણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
તેમજ ભરતસિંહ સોલંકીનું ગુજરાતના રાજકારણમાં કદ વધ્યું છે ત્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભરતસિંહ સોલંકી જ કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરશે. જેની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે. અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીને સંભવિત ઉમેદવાર ગણાવ્યા છે.
આણંદ લોકસભા વિસ્તાર
- ખંભાત બોરસદ આંકલાવ ઉમરેઠ આણંદ પેટલાદ સોજીત્રા તેમ આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 26 બેઠકો માટે મતદાન મથકો નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના 51 હજાર 703 મતદાન મથકો ઉપર લોકસભાની ચૂંટણી થશે.