કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા અને તેઓનાં સમર્થક બોરીવલી સ્ટેશન પર પ્રચાર કરવા પહોંચ્યા હતાં તેવામાં મળતા સમાચાર અનુસાર બીજેપીનાં કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનાં ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચી ગયાં. આ દરમ્યાન તે લોકોએ જોર-જોરથી મોદી-મોદીનાં નારા લગાવવાનાં શરૂ કરી દીધાં.
મુંબઇઃ શહેરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન બીજેપી અને કોંગ્રેસનાં સમર્થકો વચ્ચે થયેલ ઝપાઝપીએ પ્રસિદ્ધ એક્ટર અને મુંબઇ નોર્થ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોડકરને હલબલાવી મૂકી. ઉર્મિલાનું કહેવું એમ છે કે આ બધું ડર પેદા કરવા માટે કરવામાં આવ્યું છે. આ એક શરૂઆત છે. પરંતુ આગળ જતા કદાચ આ એક મોટી હિંસાનું પણ સ્વરૂપ લઇ શકે છે. તેઓએ જણાવ્યું કે, 'મારી જિંદગીને મોટો ખતરો છે. મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરીયાદ કરી છે અને પોતાનાં માટે સુરક્ષાની પણ માંગણી કરી છે.'
ઉર્મિલા સોમવારનાં રોજ પોતાનાં સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર માટે નીકળી હતી. ત્યારે બોરીવલીમાં તેઓનાં સમર્થક ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં. આ દરમ્યાન બીજેપી ઉમેદવાર ગોપાલ શેટ્ટીનાં સમર્થક પણ ત્યાં પહોંચી ગયાં હતાં. ઉર્મિલાનાં પ્રચાર વચ્ચે મોદી-મોદીનાં નારા પણ લાગવા લાગ્યાં, જ્યાર બાદ બંને પાર્ટીઓનાં કાર્યકર્તા અંદરોઅંદર જ બાખડી પડ્યાં. કાર્યકર્તાની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ અને સામાન્ય ધક્કા-મુક્કી પર તેઓ આવી ગયાં. બબાલ વધતી જોઇને મોકા પર પહોંચેલી પોલીસે બંને પાર્ટીઓનાં કાર્યકર્તાઓને અલગ કર્યા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે બંને પાર્ટીઓનાં કાર્યકર્તાઓને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ આનાકાની પણ કરવી પડી હતી.