કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યોને લઇને રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતની બહાર લઇ જવાના છે કે નહીં તે અંગે જાણ નથી તેમ કહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજસ્થાન લઇ જવા મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે વિધાનસભાનું સત્ર બપોરે પુરૂ થઇ છે. આવતી કાલે વિધાનસભામાં રજાનો દિવસ છે.
જો કે ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ખબર નથી કે ક્યાં જવાનું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે જે હાજર રહેશે તેમનું સ્વાગત છે. પરેશ ધાનાણીએ ધારાસભ્યોને બહાર લઇ જવ પર કહ્યું કે મને ખબર નથી ક્યાં જવાનું છે.
5મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ અંબાજી માતાના દર્શન ક્યા બાદ બાલારામ રિસોર્ટ ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યો રોકાશે. ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા કે કેમ તેને લઇ કોંગ્રેસમાં કન્ફ્યૂઝન છે.
કોંગ્રેસના ધારાસભ્યોને આબુ રાખવા કે ઉદયપુર લઇ જવા તેને લઇ અસમંજસ છે. કોંગ્રેસનો એક વર્ગ અંબાજી રોકાવાના હિતમાં છે. ત્યારે ધારાસભ્યોને આબુ, ઉદેપુર કે, અંબાજી લઇ જવા તેને લઇ કોંગ્રેસ અસમંજસમાં છે.
જો કે એક મળતા અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણી પૂર્વે પ્રવાસે લઈ જવાના છે ત્યારે દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન્ડમાં આ મામલે બેઠક મળી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતાં. જેમાં ગુજરાતના ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવા મુદ્દે ચર્ચા થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.