અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવા મામલે હવે અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર અને તંત્ર પર આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે આ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે. અને એક બાદ એક સમાજની આંખ ઉગાડનારા બનાવો બની રહ્યા છે. ત્યારે આ ઘટનાની પણ ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમિત ચાવડાએ ભાજપના મળતિયાઓને લાભ આપવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ કહ્યું કે નિયમોને નેવે મુકીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. સમયે ચકાસણી અને ઈન્સ્પેક્શન કરવામાં ન આવતું હોવાનું પણ જણાવ્યું. સાથે જ જન્માષ્ટમીના સમયે આવા બનાવો ન બને તેની તકેદારી સરકાર દાખવે તેવી માગ પણ કરી છે.