કોંગ્રેસના નેતાઓ દાંડીયાત્રા કરવા માટે મક્કમ છે સામે પક્ષે તેમને નજરકેદ કરાયા હોય તેવી સ્થિતિ છે. આવો જાણીએ શું છે મામલો?
પોલીસ અને કોંગ્રેસ વચ્ચે થશે ઘર્ષણ?
કોંગ્રેસની દાંડીયાત્રાને નથી મળી મંજૂરી
કોંગ્રેસ દાંડીયાત્રા કાઢવા મક્કમ
કોંગ્રેસના ધારાસભ્યોને નજરકેદ કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે. અમિત ચાવડાના નિવાસસ્થાન બહાર પણ પોલીસ ખડકાઈ ગઇ છે.
કેમ અમિત ચાવડા થયા ખારા?
અમિત ચાવડાએ ઘર બહાર નીકળવા જતા પોલીસ સાથે જીભાજોડી થઇ હતી. તેમજ MLA ક્વાર્ટરનો દરવાજો પોલીસે બંધ કરતા અમિત ચાવડા આક્રમક થયા હતાં. આ મામલે અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે વિધાનસભામાં વિડીયો સાથે કાલે કોંગ્રેસ રજુઆત કરશે.
કોંગ્રેસના નેતા લાલજી દેસાઇની અટકાયત
કોંગ્રેસના નેતા લાલજી દેસાઇની તેમના ઘરની બહારથી જ અટકાયત કરવામાં આવી છે. દાંડી યાત્રા માટે ઘરેથી નીકળતા જ અટકાયત કરાઈ છે. પોલીસે દાંડી યાત્રાનીમંજૂરી નથી આપી.
શું કહે છે લાલજી દેસાઈ?
લાલજી દેસાઇને આનંદનગર પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. કોઇપણ ભોગે 2.30 વાગ્યે દાંડી યાત્રા નીકળશે. અમે વર્ષોથી દાંડી યાત્રા કરતા આવ્યા છીએ, આજે પણ કરીશું. આજની દાંડી યાત્રા કરતા અમને કોઇ નહીં રોકી શકે.