અમદાવાદમાં મનપાની ટર્મ પૂરી થતાં વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ આક્ષેપ લગાવ્યા હતા.
મનપાની ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ
વિપક્ષને બોલવા માટે તક ન આપી'
'રૂ.689 કરોડ 34 લાખના કામ બાકી'
અમદાવાદ મનપાની ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થઈ છે. વિપક્ષ નેતા કમળાબેન ચાવડાના શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા. કમળાબેન ચાવડાએ જણાવ્યું હતુ કે, અમદાવાદના મેયર વિવાદીત છે અને તેમણે પોતાની ટર્મમાં વિવાદ સિવાય પ્રજાના કામમાં કોઈ ધ્યાન નથી આપ્યું. આપેલા વાયદા-વચનો પૂર્ણ કરવામાં મેયર અસક્ષમ રહ્યા છે. જનતાને આપેલા વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે. એક પણ ટર્મમાં વિપક્ષને બોલવા માટે તક નથી મળી. જ્યારે વિપક્ષ મુદ્દા ઉઠાવવાની કોશિશ કરી તો તેમણે તુરંત જ સભા બરખાસ્ત કરી દીધી હતી.
રૂ.689 કરોડ 34 લાખના કામ બાકી
મનપાના રૂ.689 કરોડ 34 લાખના કામ બાકી રહી ગયા છે. કુલ 94 પ્રોજેક્ટ પાંચ વર્ષ દરમિયાન અધુરા રહ્યા. વર્ષ 2016-17માં 106.50 કરોડના કામ બાકી રહ્યાં હતા. વર્ષ 2017-18માં રૂ.71 કરોડના કામ બાકી રહ્યાં હતા. વર્ષ 2018-19માં રૂ.108.84 કરોડના કામ બાકી રહ્યા હતા. વર્ષ 2019-20માં રૂ.140 કરોડના કામ બાકી રહી ગયા હતા. વર્ષ 2020-21માં રૂ,263 કરોડના કામ બાકી છે.