2022 પહેલા આ બે ચહેરાઓને મેદાનમાં લાવવા કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક. કોંગ્રેસે OBC અને ST-SC મતદારોને પોતાના તરફી કરવાનો ખેલ્યો દાવ. ઠાકોર,રાઠવા, મેવાણી થકી સમીકરણ.
ઠાકોર,મેવાણી અને રાઠવા-કોન્ગ્રેસના હુકમના ત્રણ એક્કા ?
કેદ્રમાં તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મથામણ કરી જ રહી છે.. પરંતુ ગુજરાતમાં પણ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી.. કારણ કે, અંદરો અંદરની ખેચતાણે કોંગ્રેસને 25 વર્ષમાં ક્યારેય ભરવા ન દીધી.. તેમાં પણ છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ નવા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાની નિમણૂક માટે ઝઝૂમી રહી હતી.. પરંતુ અંતે ખેંચતાણ અને વિવાદોનો અંત આવ્યો છે.. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકાોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર રીતે પ્રમુખ બનાવી દેવાયા છે.. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાને બેસાડવામાં આવ્યા છે..
2022 પહેલા આ બે ચહેરાઓને મેદાનમાં લાવવા કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.. કારણ કે, જ્યાં ભાજપમાં એક તરફ પાટીદાર ચહેરાને પ્રભૂત્વ મળી રહ્યું છે.. ત્યાં કોંગ્રેસે OBC અને ST-SC મતદારોને પોતાના તરફી કરવાનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. જોકે માસ્ટર સ્ટ્રોક સાથે મેદાનમાં આવેલા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ પોતાની પસંદગીને કેવી રીતે જોઈ રહ્યા છે
હુકમના ત્રણ એક્કા
જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને જીગ્નેશ મેવાણી આ ત્રણ ચહેરા ગુજરાતની સૌથી મોટી વોટબેંક ધરાવી જ્ઞાતિઓ પર અસર પાડી શકે છે..એટલે કે, ભાજપ માટે કોંગ્રેસની આ ટીમ જો સારું પ્રદર્શન કરી શકે તો. 2022નો વિધાનસભા જંગ કાંટાની ટકકરનો રહેશે.
વોટબેંક મજબૂત બનાવવા ઉતારાયા ચહેરા
વાત માત્ર જ્ઞાતિ સમીકરણની જ થઈ રહી છે..ત્રણેય ચહેરાઓના પ્રભૂત્વની વોટબેંક આધારે વાત કરીએ તો. જગદીશ ઠાકોર OBC સમાજમાંથી આવે છે.. ગુજરાતમાં OBC સમાજની વસ્તી અંદાજીત 41 ટકા છે.. જેમાં સૌથી વધુ કોળી અને ઠાકોર સમાજની વોટબેંક છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનું વર્ચસ્વ છે..અને સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું વર્ચસ્વ છે. તેવામાં સીધી જ રીતે સમગ્ર OBC વોટબેંક પર જગદીશ ઠાકોર અસર કરી શકે છે.. બીજી તરફ સુખરામ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે.. અને ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી 14.75 ટકા છે.. જ્યારે ત્રીજી તરફ જિગ્નેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે..અને ગુજરાતમાં SC મતદારોની વસ્તી 6.75 ટકા છે.. આમ કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક સીધી રીતે 62.5 ટકા વોટબેંક પર અસર કરી શકે છે.. જોકે આ સિવાય પણ લધુમતી મસાજને કોંગ્રેસની વોટબેંક માનવામાં આવે છે.. જ્યારે પાટીદાર સમાજનો લાભ હાર્દિક પટેલ અને અન્ય કોંગ્રેસના પટેલ ધારાસભ્યોના કારણે કોંગ્રેસને થઈ શકે છે.. જોકે કોંગ્રેસમાં આ પ્રકારના પરિવર્તનને રાજકીય નિષ્ણાત કેવી રીતે જોઈ રહ્યા છે
બેઠક જીતવાનો માધવ સિંહનો રેકર્ડ અકબંધ
મહત્વનું છે કે, કોંગ્રેસ ઓબીસી કાર્ડની સાથે-સાથે ખામ થિયરીની દીશામાં આગળ વધી રહી છે.. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી.જે ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મેળવવાનો આજ સુધીનો મોટો રેકોર્ડ છે. તેવામાં થોડા સમય પહેલા જ ભરત સિંહએ ઓબીસી મુખ્યમંત્રીના વાત કરીને 2022 માટે ખામ થિયરીના સીધા સંકેત આપ્યા હતા..
આ વખતે નહિ,તો કદાચ....
મહત્વનું છે કે, ભાજપ 2022માં 150 સીટો મેળવીને નવો રેકોર્ડ બનાવવા માગે છે.. પરંતુ આમ બને તે પહેલા જ કોંગ્રેસે OBC-SC-STનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે.. અને આ માસ્ટર સ્ટ્રોકના ખેલાડી ભરત સિંહ માનવામાં આવી રહ્યા છે.. ત્યારે જોવાનું એ રહેશે કે, 2022માં કોણ કોને કાંટાની ટકકર આપે છે..