લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક અનોખી માંગણી કરી હતી. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ઘુસીને તેમના વિમાનને તોડી પાડનાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તેમણે પુરસ્કાર આપવાની વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ અભિનંદનની મૂંછોને 'રાષ્ટ્રીય મૂછો' જાહેર કરવાની પણ માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કોંગ્રેસ સદનના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન જ્યારે તેઓ વિદેશનીતિનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે તેમણે એરસ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Congress Lok Sabha leader, Adhir Ranjan Chowdhury in Lok Sabha: Wing Commander Abhinandan Varthaman should be awarded and his moustache should be made 'national moustache'. (file pic of Abhinandan Varthaman) pic.twitter.com/0utFf61wwl
અધીર રંજને કહ્યું કે, બાલાકોટમાં જે વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરી, કોંગ્રેસ પાર્ટી તેનું સમર્થન કરે છે. આ સાથે જ તેમણે માગ કરી હતી કે, વિંગ કમાન્ડર અભિનંદનને પુરસ્કારથી નવાડવામાં આવે અને તેમની મૂંછોને રાષ્ટ્રીય મૂછો જાહેર કરવામાં આવે.
કોંગ્રે, નેતાએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, યુવાનો આ વાતની પ્રેરણા લે, અધિર રંજનનની આ પ્રકારની માંગણી પર લોકસભામાં હાજર તમામ જોરદાર તાલીઓ પાડી હતી.
શું બની હતી ઘટના
27 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની લડાકુ વિમાનોને ખદેડવા દરમ્યાન હવામાં થયેલી લડાઇ દરમ્યાન તેઓનું મિગ-21 બાઇસન પડી ગયું હતું કે જ્યાર બાદ પાકિસ્તાની સેનાએ તેઓને પકડી લીધાં હતાં.
પાકિસ્તાનમાં ઇજેક્ટ થતાં પહેલાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. વૈશ્વિક દબાવ બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડરને 1 માર્ચની રાત્રીએ મુક્ત કર્યા હતાં. ત્યાર બાદથી અભિનંદન વર્તમાન જૈશનાં નિશાન પર છે.