રાજકોટઃ સૌરાષ્ટ્રના કોળી નેતાઓનું સંમેલન મળવાનું છે. ત્યારે કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા કોળી સમાજના નેતાઓ એકઠા થવાના છે. અને કોળી સમાજના ધારાસભ્યો પ્રમુખો અને અગ્રણીઓ ભેગા મળીને પ્લાન બનાવવાના છે. બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કોંગ્રેસના તેવર બદલાયા છે. જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સાથે સંમેલન કરવાના છે.
આ ઉપરાંત આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજરી આપવાના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી છે. બાવળિયા ભાજપમાં ગયા બાદ કોળી સમાજના મતદારોને રિઝવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસથી નારાજ હતા. જેને લઇને તેમણે જસદણના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા કોળી સમાજના મતદારોને રિઝવવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. કોંગ્રેસ કોળી સમાજના મોટા માથાને બાવળિયાનું સ્થાન આપી શકે છે.