કોંગ્રેસના પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો ગૃહમાં સરકારે કોરોના મૃતકોનો આંકડો 3,864 રજૂ કર્યો જ્યારે આરોગ્ય વિભાગે 10,082નો આંકડો આપ્યો
કોંગ્રેસના સરકાર પર પ્રહાર
કોરોનાને લઇ આંકડા છૂપાવ્યાનો આરોપ
'નમસ્તે ટ્રમ્પ'ના કારણે કોરોના વકર્યાનો આરોપ
કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો ગૃહમાં વિપક્ષ આક્રમક બનતા કોરોના અને મૃત્યુઆંક મુદ્દે સરકારને ઘરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે ગૃહમાં સરકારે કોરોના મૃતકોનો આંકડો 3864 રજૂ કર્યો છે, જ્યારે આરોગ્ય વિભાગે 10,082નો આંકડો આપ્યો તો ત્રીજી તરફ બાજુ નિરાધાર બાળકોના 16,000 ફોર્મ ભરાયા છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર
પરેશ ધાનાણીએ સરકાર પર મોટા આરોપ લગાવતા જણાવ્યું કે કોરોના મહામારી જનતાને બચાવવાના પ્રયાસોને બદલે 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમો યોજ્યા જેના કારણે કોરોના વકર્યો હતો. કોરોનામાં સરકારની કામગીરી નબળી જોવા મળી હતી ક્યાંક કોરોના કાળમાં દવાખાનામાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી તો ઓક્સિજન બોટલોનો અભાવ પણ જોવા મળ્યો,તેમજ પરેશ ધાનાણીએ સાબરકાંઠામાં કોવિડમાં મુત્યુઆંકની વાત ખોટી રીતે રજૂ કરાઈ હોવાના આક્ષેપ સાથેવિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અને આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં તફાવત હોવાનું જણાવ્યું હતું તેમજ કોરોના કાળમાં ઘણા બાળકોએ માતા-પિતાની છત્ર ગુમાવી તો અનેક પરિવારોએ સ્વજનોને બચાવવા લોકો હોસ્પિટલોમાં લૂંટાયા હોવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા.
વિધાનસભામાં 2019-20નો CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરાયો
આજે વિધાનસભામાં 2019-20નો CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરાયો હતો, જે બાદ કોવિડ મૃતકોના પરિવારજનોને જ્યાં સુધી 4 લાખની સહાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાબ દૂધાતે જણાવ્યું હતું.
ગૃહમાં આજે વિપક્ષ આક્રમક મૂડમાં
કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યો વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. તો કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે તેમજ પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થાય ત્યા સુધી ગૃહ કામગીરી સ્થગિત કરાઈ છે. બીજી તરફ વેલમાં આવેલા ધારાસભ્યો આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન આપતા કોરોનામાં 3 લાખ કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું છે, અમિત ચાવડાએ હાઈકોર્ટની ટકોર બાદ પણ આંકડા છૂપાવવાની રમત ચાલુ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે ગૃહમાં રજૂ કરવામાં આવેલા આંકડા અને આરોગ્ય વિભાગના આંકડાઓમાં વિસંગતા હોવાનું જણાવ્યું હતું સાથે RTIના આંકડા અને સરકારના આંકડામાં પણ વિસંગતતા હોવાનું કહેતા કોરોનામાં સરકારની બેદરકારી લોકોના મૃત્યુ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં પરત ફર્યા
કોંગ્રેસે કોરોનામાં મૃતકોના પરિવારજનોને 4 લાખ વળતર આપવાની માગ સાથે હોબાળો કર્યો હતો જેને લઈ અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા અને હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી જોકે કોંગ્રેસના 10 ધારાસભ્યનું સસ્પેન્શન રદ કરાતા ફરી એકવાર ગૃહની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં પરત ફર્યા