જામજોધપુર: કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પૂર્વ કૃષિમંત્રી ચિમન સાપરિયા સામે મગફળી કૌભાંડના આક્ષેપો લગાવ્યા છે. તેમણે સાપરિયા સામે પુનઃતપાસની માગણી કરી છે. આપને જણાવી દઈએ કે 20 જાન્યુઆરીના રોજ જામજોધપુર સેવા સહકારી મંડળી દ્વારા જામજોધપુર APMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી હતી.
ત્યારે ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ જનતા રેડ કરી હતી. જેમાં મગફળીની બોરીઓમાંથી માટી કાંકરા તથા ઓછુ વજન સામે આવ્યું હતું. જેના કારણે કાલરિયાએ તપાસની માગણી કરી હતી. આ મામલે કલેક્ટરે તપાસ DDOને સોંપી હતી.
જેના ભાગરૂપે DDOએ ખેતીવાડી અધિકારીને આ કેસમાં જીણવટ ભેર તપાસ સોંપતા કોઈ સચોટ પુરાવા હાથે લાગ્યા ન હતા. જે બાદ ચિરાગ કાલરિયાએ હવે આ દિશામાં તટસ્થ તપાસ થાય તેવી માગ ઉચ્ચારી છે.
મગફળી કૌભાંડમાં ચિમન સાપરિયા પર ગંભીર આક્ષેપ થયા છે. ચિમન સાપરિયા આક્ષેપ પર શા માટે બેઠા છે ચુપ ? ચિમન સાપરિયા શા માટે હજુ સુધી નથી આવ્યા સામે ? પોલીસ દ્વારા પણ સાપરિયા વિરુદ્ધ શા માટે નથી થઈ તપાસ ? ચિમન સાપરિયાની પોલીસે શા માટે નથી કરી પૂછપરછ ? ચિરાગ કાલરિયાએ કર્યો છે કૌભાંડમાં સાપરિયાનો હાથ હોવાનો આક્ષેપ! સાપરિયા દ્વારા આ મુદ્દે શા માટે નથી કરાયો કોઈ ખુલાસો ? શું ચિમન સાપરિયાની મગફળી કાંડમાં કોઈ સંડોવણી છે ?