ફરી એકવાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇ વાતચીત ચાલી રહી છે અને મળતી માહિતી મૂજબ ન માત્ર દિલ્હી પરંતુ હરિયાણામાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે.
દિલ્હી: ફરી એકવાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇ વાતચીત ચાલી રહી છે અને મળતી માહિતી મૂજબ ન માત્ર દિલ્હી પરંતુ હરિયાણામાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બંને પાર્ટીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ગઠબંધનને લઇને ચર્ચા ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયો. કોંગ્રેસમાં આપ સાથે ગઠબંધનને લઇ આંતરીક વિખવાદ છે. શીલા દીક્ષિત આપ સાથે ગઠબંધન નથી ઇચ્છી રહ્યા જ્યારે કોંગ્રેસ નેતા પી.સી.ચાકોનું કહેવું છે કે, દિલ્હીમાં આપ સાથે ગઠબંધન જરૂરી છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલ્હી માટે રવાના થતાં પહેલા વિશાખાપટ્ટનમ ખાતે આવેલ હવાઇ મથક પર એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલનું કહેવું છે કે કોંગ્રેસની સાથે ગઠબંધન નથી. અમે રાહુલ ગાંધી સાથે એક બેઠક કરી હતી. જેમાં તેમણે આપ સાથે ગઠબંધન કરવા માટે ઇન્કાર કર્યો હતો.
તો આ તરફ દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શિલા દીક્ષિતે પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇન્કાર કર્યો છે. તો આ તમામ બાબતો વચ્ચે ફરીએકવાર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની વાત આવીને ઉભી છે. ગઠબંધન અંગેની ચર્ચા બંન્ને પાર્ટી વચ્ચે કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.
ગઠબંધનની રાજનીતિ
આમ આદમી પાર્ટીનો એવો તર્ક છે કે, સમગ્ર દેશની લોકસભા બેઠકો પર ભાજપ વિરૂધ્ધ માત્ર એક જ ઉમેદવાર ઉતારવામાં આવે. જેના કારણે વિપક્ષી દળો વચ્ચે મતની વહેંચણી ન થાય. તો આ તરફ દિલ્હી કોંગ્રેસના નેતા પણ બંન્ને પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તે રીતે પ્રયાસો હાથ ધરી રહ્યા છે.