બજેટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી મોદીનુ મોટું નિવેદન સામે આવ્યું છે.
બજેટ પર પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા
નાણામંત્રી નિર્મલા સીતારામણના બજેટના કર્યા વખાણ
કહ્યું બજેટ નોકરીઓ અને લાખો ઘર આપનારું
બજેટ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે
બજેટ પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હું નાણામંત્રી નિર્મલાજી અને તેમની ટીમને પીપલ ફ્રેન્ડલી અને પ્રોગ્રેસીવ બજેટ માટે શુભકામનાઓ આપું છું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ બજેટ લોકો માટે નવી આશા અને તક લઈને આવ્યું છે.
For the first time in the country, 'Parvat Mala' scheme is being kickstarted for regions like Himachal Pradesh, Uttarakhand, J&K, northeast. It'll facilitate modern system of transportation & connectivity in hills. This will provide strength to border villages: PM #Budget2022pic.twitter.com/3WER419FBI
મોદીએ કહ્યું કે ઈકોનોમીને મજબૂત કરવાની ક્ષમતા છે. બજેટ વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધારે રોકાણ, વધારે વિકાસ અને વધારે નોકરીઓથી ભરપૂર છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે બજેટમા ગ્રીન જોબની નવી જોગવાઈ કરાઈ છે. બજેટ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.
I congratulate Finance Minister Nirmala Sitharaman for this 'People Friendly and Progressive budget'.
An announcement of over Rs 2.25 lakh crores MSP will be directly transferred (to farmers); budget will double farmers' income. For MSMEs, credit guarantee and many new schemes have been announced: PM Modi pic.twitter.com/GWlaMLQ8gf
બજેટ નોકરીઓ અને લાખો ઘર આપનારું-પીએમ મોદી
પીએમ મોદીએ આગળ કહ્યું કે મા ગંગાની સફાઇ સાથે સાથે ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવામાં આવ્યું છે તથા બજેટ નોકરીઓ અને લાખો ઘર આપનારું છે.
100 વર્ષની ભયંકર આપદાની વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું બજેટ
પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ 100 વર્ષની ભયંકર આપદાની વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે સામાન્ય માનવી માટે અનેક નવા અવસર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ આધુનિક માળખાકીય સુવિધા, વધારે રોકાણ અને વધારે નોકરીઓની સંભાવનાઓથી ભરેલું છે. તેનાથી ગ્રીન જોબન્સનું ક્ષેત્ર પણ વધારે ખુલશે.
Besides the cleaning of Maa Ganga, a major step has been taken for the welfare of farmers. Natural farming on the banks of river Ganga in Uttarakhand, Uttar Pradesh, Jharkhand, Bihar, West Bengal will be promoted. This will help make rive Ganga chemical-free: PM Modi#Budget2022pic.twitter.com/nkTLczzaNe
પર્વતમાળા યોજના પહાડો પર ટ્રાન્સપોર્ટેશનની આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે
પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટ જેવા ક્ષેત્રો માટે પહેલી વાર પર્વતમાળા યોજના શરુ થવા જઈ રહી છે. આ યોજના પહાડો પર ટ્રાન્સપોર્ટેશનની આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે. ખેડૂતોના કલ્યાણ માટે પણ મહત્વપૂર્ણ પગલાં ઉઠાવાયા છે. અહીં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમા ગંગા કિનારે, નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.