કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ ક્યારેય પુરાશે નહી. મેં એવા સાથી ગુમાવ્યા છે જેમની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી.
અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીનું ટ્વીટ
એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ ક્યારેય નહીં પુરાય
એમના પરિવાર માટે દુઃખ અનુભવું છું, અને તેમને સાત્વના પાઠવું છું
અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે મેં એક એવો સાથી ગુમાવ્યો કે જેની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે. એમના પરિવાર માટે દુ:ખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું.
Congress President Smt Sonia Gandhi’s condolence message on the demise of Shri Ahmed Patel. pic.twitter.com/JiOwjr3j1n
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે અહેમદ પટેલ કોંગ્રેસના સ્તંભ સમાન હતા. અહેમદ પટેલ મુશ્કેલીના દિવસોમાં કોંગ્રેસની સાથે ઉભા રહ્યા. પટેલ કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા. અમને તેમની ખોટ હંમેશા વર્તાશ. "ફૈસલ, મુમતાઝ અને પરિવારજનોને મારો પ્રેમ અને સાંત્વના.
It is a sad day. Shri Ahmed Patel was a pillar of the Congress party. He lived and breathed Congress and stood with the party through its most difficult times. He was a tremendous asset.