સુરત બહુમાળી ખાતે પોલીસ અને અરજદારો વચ્ચે ઘર્ષણ થયુ. આવકના દાખલામાં એજન્ટો દ્વારા બારોબાર આવકનો દાખલો કાઢવામાં આવતા બબાલ થઈ. જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. આથી લોકો ઉશ્કેરાયા અને એજન્ટ પ્રથા બંધ કરવા માંગ કરી. મહત્વનું છે કે.ધોરણ - 12 પછી કોલેજમાં એડમીશન લેવા માટે ફોર્મ ભરતી વખતે ફરજિયાત આવકના દાખલાનું પ્રમાણપત્ર જોડવું જરૂરી છે.. આથી હજારો લોકો આવકના દાખલા કઢાવવા આવે છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે....