બ્રેકિંગ ન્યુઝ
VTV / "Condition of West Bengal worse than Ukraine" Shubhendu Adhikari took aim at Mamata Sarkar
Last Updated: 03:38 PM, 23 May 2023
ADVERTISEMENT
સોમવારે પશ્ચિમ બંગાળમાં 'ગેરકાયદે ફટાકડા સાથે જોડાયેલો' બીજો વિસ્ફોટ થયો હતો. માત્ર સાત દિવસમાં આ ત્રીજો વિસ્ફોટ છે. બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાના ઘરે કથિત રીતે તાજેતરના વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ બંગાળમાં વારંવાર થઈ રહેલા વિસ્ફોટોને લઈને બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ છે.
ADVERTISEMENT
ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત
ધનીય છે કે 16 મેના રોજ પૂર્વ મેદિનીપુરના એગ્રા વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા. તે વિસ્ફોટના મુખ્ય આરોપીનું 19 મેના રોજ ઓડિશાના કટકની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું અને Egra બ્લાસ્ટ જેવી ઘટનાની NIA તપાસની માંગ કરી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે દરોડા દરમિયાન રાત્રે પુરાવા સાથે છેડછાડ કરી હતી. ગઈકાલે શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની હાલત યુક્રેન કરતા પણ ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં એટલા વિસ્ફોટો નથી જેટલા બંગાળમાં થઈ રહ્યા છે.
ગેરકાયદેસર કારખાનાઓને લઈને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ
તમને જણાવી દઈએ કે રાજ્યના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બજબુજ વિસ્તારમાં રવિવારે એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં એક સગીર અને બે મહિલાઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. રાજ્ય સરકારે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આવી ગેરકાયદે ફેક્ટરીઓ પર કાર્યવાહી કરવા માટે, રાજ્ય કેબિનેટે ગ્રીન ફટાકડા ઉદ્યોગ માટે ક્લસ્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને આ બાબતની તપાસ માટે મુખ્ય સચિવ એચ કે દ્વિવેદીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સરકારના એક વરિષ્ઠ મંત્રીએ અહીં આ માહિતી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.