દેશમાં જબરજસ્તી ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે અને હવે પાણી માથા પરથી નીકળી ચૂક્યું છે એટલી હદે છોકરીઓ તેનો ભોગ બની રહી છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ખૂબ ચિંતિત છે અને સરકારને ધર્માંતરણ વિરૃદ્ધ કાયદો બનાવવાનો આદેશ આપ્યો છે.
Centre says 9 states over course of years passed enactments seeking to curb this practice. Odisha, Madhya Pradesh, Gujarat, Chhattisgarh, Jharkhand, Uttarakhand, Uttar Pradesh, Karnataka & Haryana are the states which already have legislation in place on conversion, says Centre
હાલમાં નવ રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે ટૂંક સમયમાં આ બાબતે નક્કર પગલાં ભરાશે. સરકારે કહ્યું કે હાલમાં નવ રાજ્યો, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, યુપી, કર્ણાટક અને હરિયાણામાં ધર્માંતરણ વિરૃદ્ધ કાયદો અમલમાં છે. સરકારે કહ્યું કે મહિલાઓ અને આર્થિક-સામાજિક પછાત વર્ગો સહિતના સમાજના બીજા વર્ગોના હકોના રક્ષણ માટે ધર્માંતરણ વિરોધી કાયદો જરુરી છે.
Supreme Court asks the Attorney General of India and the Solicitor General to ensure that the law of the land laid down by this court is followed.
રાષ્ટ્રવ્યાપી બનાવવા કેન્દ્ર સરકાર ભરશે નક્કર પગલાં
સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી છે કે તે ટૂંક સમયમાં જબરજસ્તી ધર્માંતરણની વિરૃદ્ધ કાયદો બનાવવા નક્કર પગલાં ભરશે.
દેશમાં વધી રહી છે જબરજસ્તી ધર્માંતરણની ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં જબરજસ્તી ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે જેમાં એક ધર્મના લોકો બીજા ધર્મની છોકરીને ફોસલાવી-પટાવીને જબરજસ્તીથી ધર્માંતરણ કરાવી લેતા હોય છે અને પછી તેની પર ત્રાસ ગુજારતા હોય છે.