કોરોના વિસ્ફોટ વચ્ચે અમદાવાદમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. લોકોને રૂપિયા ચૂકવ્યાં બાદ પણ ઓક્સિજન નથી મળી રહ્યો.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે મહત્વના સમાચાર
અમદાવાદ શહેરમાં ઓક્સિજનની અછતની શરૂઆત
ખાનગી હોસ્પિટલ પાસે નથી પૂરતો ઓક્સિજનનો જથ્થો
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે થોડા માઠા સમાચાર સામે આવ્યાં છે. કોરોના વિસ્ફોટ વચ્ચે અમદાવાદમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. લોકોને રૂપિયા ચૂકવ્યાં બાદ પણ ઓક્સિજન નથી મળી રહ્યો. તબીબોનું કહેવું છે કે, શહેરની ખાનગી હોસ્પિટલ પાસે પૂરતો ઓક્સિજનનો જથ્થો નથી. 120થી 130 રૂપિયામાં મળતો ઓક્સિજન હવે 500 રૂપિયા આપવા છતાં મળતો નથી. જેના કારણે દર્દીઓના જીવને જોખમ છે. સરકાર ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત રહે એવી વ્યવસ્થા કરે તેવી તબીબોએ માગ કરી છે.
ઓક્સિજનની અછત અંગે નોડલ ઓફિસર જીગ્નેશ શાહે કહ્યું, હોસ્પિટલમાં 600થી 700 ટન ઓક્સિજનની જરૂર છે. અત્યારે 400થી 500 ટન ઓક્સિજન જ હોસ્પિટલને મળે છે. હોસ્પિટલમાં ઓક્સિનની અછત હોવાની સતત ફોન આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં વપરાતો ઓક્સિજન એક અઠવાડિયું બંધ કરવાનું સૂચન કરાયું છે. ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ઓક્સિજનને રોકી દર્દીનો જીવ બચાવી શકાય છે.