કોરોના વાયરસ ના દેશ વ્યાપી કહેર વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. કોરોનાને નાથવા જ્યાં દરેક રાજ્ય સરકાર સાવચેતીના પગલાઓ ભરી રહી છે. આ જોતા રાજસ્થાન રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને 21 નવેમ્બરથી કલમ -144 લાગુ કરવાની સલાહ આપી છે. ગૃહ વિભાગના ગ્રુપ -9 એ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના જાહેર કરી છે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે.
કોરોના કેસોને લઈને લેવાયો નિર્ણય
રાજસ્થાનના તમામ જિલ્લામાં ધારા 144 લાગૂ
અશોક ગેહલોતના વડપણ વાળી સરકારનો નિર્ણય
રાજસ્થાનમાં શિયાળો વધતાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં કોરોનાનાં કેસોમાં વધારો થવા માંડ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત 19 નવેમ્બરના રોજ અઢી હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે, 15 જિલ્લામાં કોરોનાથી 15 લોકોનાં મોત થયાં. દરમિયાન, રાજ્ય સરકારે કોરોના સંક્રમણને નાથવા માટે ફરીથી સખ્તાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે, આન જ અનુસંધાનમાં રાજસ્થાનની આશિક ગેહલોતના વડપણ વાળી રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ધારા 144 લાગૂ કરવાના આદેશ આપી દીધા છે.
જયપુરમાં 11 નવેમ્બરના રોજ 400 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા
છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત, એક જ દિવસે 16 નવેમ્બરના રોજ જયપુરમાં રેકોર્ડ 538 પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. 11 નવેમ્બરના રોજ 450, 12 નવેમ્બરના રોજ 460 કેસ, 13 નવેમ્બરના રોજ 475 કેસ, 14 નવેમ્બરના રોજ 406 કેસ અને 15 નવેમ્બરના રોજ 498 કેસ, 16 નવેમ્બરના રોજ 538 કેસ અને નવેમ્બર 17, 468 અને 19 નવેમ્બરના રોજ કેસ છે. નવેમ્બરના રોજ 519 નવા કેસ મળી આવ્યા હતા.
શું છે ધારા 144 ?
મહત્વપૂર્ણ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં કલમ -144 લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે પછી આ કલમ તે વિસ્તારમાં પ્રભાવી બને છે. જ્યાં કલમ -144 લાગુ છે ત્યાં 4 અથવા વધુ લોકો એકઠા થઈ શકતા નથી. તે વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો સિવાય કોઈને પણ શસ્ત્રો લાવવાની અને લઈ જવાની પર પ્રતિબંધ છે. લોકો ઘરની બહાર ફરવા જવા પર પ્રતિબંધ છે અને પરિવહનના માધ્યમ પર પણ પ્રતિબંધ છે.