સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની શરૂઆત થઈ જાય છે પરંતુ ગુજરાતના હજુ કેટલાક પંથકમાં મેઘની મહેર ન થતા અન્નદાતાઓ ચિંતામાં મુકાયા
વરસાદ લંબાતા ખેડૂતોની વધી ચિંતા
લાખો રૂપિયાની નુકસાનીની ભીતિ
વાવાણી થયા બાદ લંબાયો વરસાદ
ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. પરંતુ હજુ કેટલાક પંથકમાં મેઘની મહેર ન થતા અન્નદાતાઓ ચિંતામાં મુકાયા. આપણે ત્યાં સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની શરૂઆત થઈ જાય છે. અને વાવણી પણ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે તો માત્ર અમુક જિલ્લામાં દેખાળો દઈ વરસાદે જાણે આઘા હાથ કરી લીધા છે. અષાઢી બીજ પછી વરસાદની આગાહી હતી. પરંતુ અષાઢી બીજ ગયાને પણ 6 દિવસ થઈ ગયા છે. ત્યારે કેવી છે વરસાદની રાહ જોઈને બેઠેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત જુઓ આ રિપોર્ટમાં...
બનાસકાંઠા સહિત ગુજરાતમાં ખેડૂતોની અવદશાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાવ ન મળતા ખેડૂતોએ રિંગણને ફેંકી દેવાનો વીડિયો વાઇરલ થયો હતો. રિંગણના ભાવ ન મળતા ખેડૂતે ટ્રેક્ટર રોડ પર ઠાલવી દીધું હતું. સુરેન્દ્રનગર જિલ્લના થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી છે. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા હતા. બજારમાં ઊંચા ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા નથી. શાકભાજીના ભાવ ન મળતા ખડૂતોની સ્થિતિ દયનિય સર્જાઈ છે. ચોરવિરા ગામના ખેડૂતે ટ્રેકટરમાં રિંગણા ભરી ફેંકી દીધા હતા. આશરે 50 મણથી વધુ રીંગણાનો જથ્થો ફેંકી દીધો હતો.
સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. કપાસ, મગફળી, તલ, એરંડા અને ઘાસચારો તેમજ શાકભાજીના પાકોનું વાવેતર થઈ ગયું છે. મોંઘા બિયારણ અને ખાતરના ઉપયોગ બાદ વરસાદ ખેંચાતા ચિંતા વધી છે. નર્મદાની માયનોર કેનાલમાં પાણી અવારનવાર બંધ કરાતા ખેડૂતોને ફાયદો નહીં. ડીઝલના વધતા ભાવનો પણ ખેડૂતોને માર પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની સરકાર પાસે રાહત પેકેજની માગ કરી છે.