વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધનો અંત આવ્યો છે
ભ્રષ્ટાચારના આરોપ બાદ સમાધાન
ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે સમાધાન
પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી
વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધનો અંત આવ્યો છે, બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપો અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપો બાદ ભાજપના નેતાઓએ તેમની વચ્ચે સમાધાન કરાવ્યું છે.
ઈનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે સમાધાન
મહત્વનું છે કે સાવલી ભાજપના MLA કેતન ઇનામદારે બરોડા ડેરમાં ચાલતા વહીવટને લઈ મોટા આરોપ લગાવ્યા હતા અને સહકાર મંત્રી ઇશ્વર પટેલને સ્ફોટક પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટાચારનો ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તો બીજી તરફ ડેરીના ચેરમેન દીનું મામાએ પણ કહ્યું હતું કે MLA કેતન ઇનામદાર મારા સાહેબ કે અધિકારી નથી અને ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવુ નથી, પણ જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે એમ કહીને દિનુ પટેલે પણ ઈનામદાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.પરતું હવે બંને વચ્ચે સમાધાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સાવલીના ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઘણો ઉગ્ર બન્યો હતો અને બંને દ્વારા એકબીજા પર શાબ્દિક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા પરતું જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં બંને નેતાઓને સામસામે બેસાડીને આ વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો.
બરોડા ડેરીના વિવાદમાં અંતે સમાધાન
વડોદરાના પાદરામાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરિયમાન ભાજપના દીનુ મામા અને કેતન ઈનામદારે એકબીજાને મળવાનું ટાળતા, મુખ્યમંત્રીએ કેતન ઈનામદાર અને દીનુ મામા વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપના શાબ્દિક યુધ્ધનો જલદીથી નિવેડો લાવવા માટે જિલ્લા ભાજપના મોવડી મંડળને સુચના આપી હતી. મુખ્યમંત્રીના રવાના થયા બાદ જિલ્લા ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવી ગયું હતું. અને દીનુ મામા અને કેતન ઈનામદારને ફોન કરીને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલે એક ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ બંને વચ્ચે વિવાદનો અંતે આવ્યો હતો, અંતે બંને એ એકબીજાની વાતને સમર્થન આપ્યું હતું.
12 કરોડનું ટર્નઓવર છે કામ કરે એની ભૂલ થાય
MLA કેતન ઈનામદાર કહ્યું કે દિનુ મામાએ 13 પ્રશ્નોનો ઉકેલ લાવવાની અને સાથે પશુપાલકોનું હિત જાળવવાની ખાતરી આપી છે, જ્યારે દિનુ પટેલે જણાવ્યું છે કે લોકશાહી ઢબે પશુપાલકો પ્રશ્ન કરે તો જવાબ આપવા બંધાયા છીએ,તેમજ ડેરીનું 12 કરોડનું ટર્નઓવર છે તો કામ કરે એની ભૂલ થાય ત્યારે કેતનભાઇને ગેરસમજ દૂર થઈ છે. દિનુ મામાએ કેતનભાઇની લાગણી અને માગણી સંતોષાશે તેવું જણાવ્યું હતું, તેમજ ડેરી 2 લાખ દૂધ ઉત્પાદકોને સારો ભાવ આપે છે અને મારા ખુલાસાથી પાર્ટીના આગેવાનો સંતુષ્ટ હોવાનું દિનુ પટેલે જણાવ્યું છે.