2020-21નું ફાઇનાન્શિયલ વર્ષ ખૂબ જલ્દી પૂરુ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં કામો એવા છે જેને પૂરા કરી લેવા તમારા હિતમાં રહેશે. જેમાં અમુક કામોની સમય સીમા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે જો તમે આ કામો ડેડલાઇનમાં પૂરા નહીં કરી શકો તો તમને થઈ શકે છે મોટુ નુક્સાન.
ટેક્સનાં કામો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ
એડવાન્સ ટેક્સનું પેમેન્ટ નહીં કરી શકવાની સ્થિતિમાં પેનલ્ટી લાગે છે
1 એપ્રિલ 2021થી તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
ફાઇનાન્શિયલ વર્ષ 2020-21 જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં એવા કામો છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. જો તમે તે ડેડલાઇન સુધીમાં તમારા કામો પૂરા નહીં કરી લોદ તો તમને ભારે પેનલ્ટી ચૂકવવી પડી શકે તેમ છે. ટેક્સનાં કામો પૂરા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો 31 માર્ચને જો તમે ચૂકી જશો તો તમને આવતા વર્ષે રિવાઇઝ્ડ કે લેટ ઈન્કમ ટેક્સ ફાઇલ કરવાની તક નહી મળે. પણ 31 માર્ચ પછી તમે રિવાઇઝ્ડ રિટર્ન ભરી તો શકો છો પણ તેના માટે 10 હજારની લેટ પેનલ્ટી આપવી પડશે.
એડવાન્સમાં ટેક્સ આપવો પડશે
ઈન્કમ ટેક્સ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિને ટેક્સની દેવાદારીની રકમ વર્ષમાં 10 હજારથી વધારે હોય તો તેને ચાર હપ્તામાં એટલે કે 15 જુલાઈ, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ પહેલા એડવાન્સમાં ટેક્સ આપવો પડશે. એડવાન્સ ટેક્સનું પેમેન્ટ નહીં કરી શકવાની સ્થિતિમાં પેનલ્ટી લાગે છે તેવી રીતે 15 માર્ચ સુધી ફાઇનાન્શિયલ વર્ષ 2021-22 માટે એડવાન્સ ટેક્સનો
ચોથો હપ્તો જમા કરવો પડશે
પાન અને આધારને લિન્ક કરવાની અવધી 30 જૂનથી વધારીને 31 માર્ચ 2021 કરી હતી. જો તમે તમારુ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નથી કરાવ્યુ તો જણાવી દઈએ કે હાલનાં નિયમ મુજબ પાન અને આધારને લિન્ક કરાવવુ ફરજિયાત છે. તેની સાથે ઈન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે પણ પાનની સાથે આધાર નંબર આપવો જરુરી છે. સરકારે તેના પહેલા પાન અને આધારને લિન્ક કરવાની અવધી 30 જૂનથી વધારીને 31 માર્ચ 2021 કરી હતી. જેથી જે લોકોઓ પાતાનું પાન અને આધાર લિન્ક કરાવવાનું હોય તે કરાવી લે નહીં તો 1 એપ્રિલ 2021થી તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને દંડ પણ ભરવો પડશે.
ડિક્લેરેશન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ
વિવાદ થી વિશ્વાસ સ્કિમ અંતર્ગત ડિક્લેરેશન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. પ્રત્યક્ષ કર વિવાદ થી વિશ્વાસ કાયદો 17 માર્ચ 2020એ લાગુ કરવામાં આવ્યો હતો. આ સ્કીનો મકસદ મોડા કર વિવાદોનું સમાધાન કરવાનો છે. તમામ અદાલતો પ્રત્યક્ષ કરથી જોડાયેલ 9.32 લાખ કરોડ રુપિયાને 4.83 લાખ કેસ મોડા છે. આ સ્કીમ અંતર્ગત કરદાતાઓને ફક્ત વિવાદિત ટેક્સ રાશીની ચૂકવણી કરવાની રહેશે. જેમને વ્યાજ અને દંડ પર પૂરી છૂટ મળશે.