બીજી તરફ કોરોનાના વધતા કેસને જોતા કેજરીવાલે આજે એક રિવ્યુ મીટિંગ બોલાવી છે.
મીટિંગમાં મહત્વપૂર્ણ અધિકારી સામેલ થવાના છે
દિલ્હીમાં નાઈટ અને વીકેન્ડ કર્ફ્યૂ ચાલુ છે
મામલા ન અટક્યા તો લોકડાઉનના વિકલ્પ પર વિચાર કરી શકાય
દિલ્હીમાં નાઈટ અને વીકેન્ડ કર્ફ્યૂ ચાલુ છે
દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ પહેલાથી લાગૂ છે. જો કે કેજરીવાર સરકારના નવા હુકમ બાદ વીકેન્ડ કર્ફ્યૂ પણ લાગૂ થઈ ચૂક્યું છે. શુક્રવારે રાતના 10 વાગ્યાથી આ વીકેન્ડ કર્ફ્યૂ લાગૂ થઈ ચૂક્યું છે. જે સોમવારે સવારના 6 વાગ્યા સુધી લાગુ થશે. વીકેન્ડ કર્ફ્યૂ આવનારા દિવસોમાં પણ નવો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
મીટિંગમાં મહત્વપૂર્ણ અધિકારી સામેલ થવાના છે
બીજી તરફ કોરોનાના વધતા કેસને જોતા કેજરીવાલે આજે એક રિવ્યુ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં કોવિડ 19 મેનેજમેન્ટ માટે નોડલ મંત્રી મનિષ સિસોદિયા, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન અને અન્ય મહત્વપૂર્ણ અધિકારી સામેલ થવાના છે. એવી શક્યતા પણ છે કે જો વીકેન્ડ કર્ફ્યૂથી પણ જો કોરોનાની અટકે તો દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે. આ પહેલા દિલ્હીની સીએમ એ બે વાતો મહત્વપૂર્ણ રીતે કહી છે એક એ કે લોકડાઉન સમાધાન નથી. બીજું કે મામલા ન અટક્યા તો લોકડાઉનના વિકલ્પ પર વિચાર કરી શકાય છે. જે રીતે દિલ્હીમાં કેસ વધી રહ્યા છે એ હિસાબે બીજા ઓપ્શન પર વિચાર કરતા વાર નહીં લાગે.
કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું...
આજે દિલ્હીમાં લાગેલા વીકેન્ડ કર્ફ્યૂ પર સીએમ કેજરીવાલે કહ્યુ કે કોરોનાને કારણે આજે અને કાલે દિલ્હીમાં કર્ફ્યૂ છે. કૃપા આનું પાલન કરો. આપણે બધાએ મળીને કોરોનાને હરાવવાનો છે.
करोना के चलते आज और कल दिल्ली में कर्फ़्यू है। कृपया इसका पालन करें। हम सबको मिलके करोना को हराना है।
દિલ્હીમાં 24 કલાકમાં 19, 486 નવા મામલા આવ્યા છે ત્યારે 141 લોકોના મોત થયા છે. કોરોનાને લીધે લાગેલા કર્ફ્યુમાં પોલીસ એક્શન મોડ પર આવી છે અને અનેક જગ્યાએ તૈનાત છે. વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન જરૂરી વસ્તુઓની સુવિધા ચાલું છે. બસ, ટેક્સી, મેટ્રો વગેરે સાર્વજનિક વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ આમાં એ લોકો જ મુસાફરી કરી શકે જેમને નાઈટ કર્ફ્યૂમાં છુટ મળી છે.